Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતના ડરથી હજારો પાકિસ્તાની સૈનિકોના રાજીનામા!

પાકિસ્તાન આર્મીના જનરલ હેડક્વાર્ટર રાવલપિંડીથી જારી કરાયેલ ગુપ્ત એડવાઈઝરી લીક થઈ

dharmendravaghela by dharmendravaghela
2025-04-28 12:11:28
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાની સેનામાં ગંભીર કટોકટીના સંકેતો દેખાઈ રહ્યા છે. પાકિસ્તાનના પહેલગામ વિસ્તારમાં મુજાહિદ્દીન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ઘટના બાદ પાકિસ્તાનની સેનાના જવાનોમાં ભયનો માહોલ સર્જાયો છે. આના કારણે ભારત સાથે સંભવિત યુદ્ધનો ભય વધુ ઘેરો બનવા લાગ્યો છે. આના કારણે પાકિસ્તાની સેનામાં ટોપ ટપ રાજીનામા પડ્યા છે. પાકિસ્તાન આર્મીના જનરલ હેડક્વાર્ટર, રાવલપિંડી તરફથી જારી કરાયેલ એક ગુપ્ત એડવાઈઝરી લીક થઈ છે. જેમાં (એડવાઈઝરી નંબર: ISPR/OPS/2025/04/028) માં સ્પષ્ટપણે સ્વીકારવામાં આવ્યું છે કે પહેલગામ ઘટના બાદ પાકિસ્તાનની સેનાના કર્મચારીઓમાં ભય ફેલાયો છે અને મોટા પાયે રાજીનામા પડી રહ્યા છે અને રાજીનામાની વિનંતીઓ આવી રહી છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા સંભવિત કડક કાર્યવાહીને કારણે પાકિસ્તાનમાં ભારે હોબાળો મચી ગયો છે. અહેવાલો અનુસાર, ભારતીય સેનાના બદલાના ડરથી લગભગ ૧૨૦૦ પાકિસ્તાની સૈનિકોએ રાજીનામું આપી દીધું છે. મેજર જનરલ ફૈઝલ મહમૂદ મલિક, HI(M), DG ISPR દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી(એડવાઈઝરી)માં સેનાના તમામ રેન્ક અને તેના જવાનોને સંબોધિત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ પરિસ્થિતિ “ખોટી માહિતી”ને કારણે થઈ છે જેનો હેતુ સૈન્યના મનોબળ, એકતા અને ઈમાન (વિશ્વાસ) ને નબળો પાડવાનો છે.
પાકિસ્તાની સેનામાં રાજીનામાનો દોર ચાલી રહ્યો છે અને સેનાનું મનોબળ સતત ઘટી રહ્યું છે. સુરક્ષા વિશ્લેષકો કહે છે કે ભારતના કડક પગલાંથી પાકિસ્તાનમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અહીં ભારતે સરહદ પર સતર્કતા વધારી દીધી છે અને આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ એડવાઈઝરીને લઈને પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. વિપક્ષી નેતાઓએ સરકાર અને સેનાના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે જ્યારે સૈનિકોનું મનોબળ નીચું હશે તો દેશની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત થશે? ઘણા વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે જો રાજીનામા અને ત્યાગના વલણને તાત્કાલિક રોકવામાં નહીં આવે તો સૈન્યની લડાઈ ક્ષમતા પર ગંભીર અસર પડી શકે છે.
ભલે સેનાએ કડક ચેતવણીઓ આપીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ જમીની વાસ્તવિકતાઓ કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. જો સૈનિકોમાં રહેલા અસંતોષને ઊંડાણપૂર્વક સમજવામાં ન આવે અને ફક્ત શિસ્તબદ્ધ કાર્યવાહી દ્વારા તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે, તો તે આંતરિક બળવાનું સ્વરૂપ પણ લઈ શકે છે. નિષ્ણાતો માને છે કે સેનાએ માત્ર કડકતા દ્વારા જ નહીં પરંતુ વાતચીત અને વિશ્વાસ દ્વારા પણ તેના સૈનિકોમાં વિશ્વાસ કેળવવો પડશે. નહિંતર, બાહ્ય ખતરાઓની સાથે, આંતરિક કટોકટી પણ પાકિસ્તાનની સુરક્ષા માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે.

Tags: pakistani soldiers resign
Previous Post

ડિજિટલ સ્ટ્રાઈક : પાકિસ્તાનની 16 મોટી યુટ્યુબ ચેનલો બ્લોક

Next Post

ખાલિસ્તાની આતંકી પન્નૂએ કર્યું પાકિસ્તાનનું સમર્થન, ભારતને આપી ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ખાલિસ્તાની આતંકી પન્નૂએ કર્યું પાકિસ્તાનનું સમર્થન, ભારતને આપી ધમકી

ખાલિસ્તાની આતંકી પન્નૂએ કર્યું પાકિસ્તાનનું સમર્થન, ભારતને આપી ધમકી

ભારતીય સેના નકામી અને બિનઅસરકારક છે : શાહિદ આફ્રિદીએ બેશરમીની હદ વટાવી

ભારતીય સેના નકામી અને બિનઅસરકારક છે : શાહિદ આફ્રિદીએ બેશરમીની હદ વટાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.