એક રસપ્રદ ચૂકાદામાં સુપ્રીમકોર્ટ છતીસગઢની એક આંગણવાડીમાં કામ કરતા મહિલાને તેના બે સંતાનોની હત્યાના કેસમાં જેલમુક્ત કરવાના આદેશ આપતા જણાવ્યું હતું કે જે રીતે મહિલાએ કોઈ હેતુ વગર આ પ્રકારે તેના બે સંતાનોની હત્યા કરી તે દર્શાવે છે કે તે કોઈ કામચલાવ માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી અને તે કોઈ અદ્રશ્ય શક્તિથી પ્રેરાઈ હોય કે આવી કોઈ માનસીક સ્થિતિ તેના પર સવાર થઈ હોય તેના કારણ તેણે બે પુત્રીઓને લોખંડના સળીયાથી વારંવાર ઘા મારીને બન્નેની હત્યા કરી હતી.
સુપ્રીમ કોર્ટ આ મહિલાને ટ્રાયલ કોર્ટ કરેલી અને હાઈકોર્ટ માન્ય સંબંધી આજીવન કારાવાસની સજા ઘટાડીને ગૈરઈરાદા કોઈ આગોતરા ઈરાદાનગર કરેલી હત્યાનો કેસ ગણ્યો હતો અને આ મહિલાએ 10 વર્ષની જેલ સજા ભોગવી છે તેથી તેને તાત્કાલિક જેલમુક્ત કરવા આદેશ આપ્યો હતો.સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ બી.વી.નાગરત્ના અને ન્યાયમૂર્તિ એન.કોટીશ્વરની ખંડપીઠે આ હત્યાની ઘટના પુર્વ મહિલાનું એ વર્તન મહત્વનું ગણાવ્યુ હતું. જેમાં તે વારંવાર એવું બોલતી હતી કે તે માતા છે અને બઢ્ઢી-દાઈ-છું અને તેણે પોતાની આ માનસિક સ્થિતિ માટે મનોચીકીત્સકની પણ સલાહ લીધી હતી.
સુપ્રીમકોર્ટે કહ્યું કે, આ મહિલા પાસે તેના બે સંતાનોની હત્યા કરવાનું કોઈ કારણ જ નહી તે બાળકો સાથે સારી રીતે રહેતી હતી તેના પતિ સાથે પણ સારા સંબંધો હતા તો અચાનક આ રીતે હિંસક કઈ રીતે બની ગઈ તે પ્રશ્ન છે તેનું કારણ માનસિક બિમારી જેને સ્કિજોફ્રેનિયા બાય પોલરડિસ ઓર્ડર સમાન ગણાવ્યુ હતું અને આ પરીસ્થિતિમાં વ્યક્તિ જાદુ-ટોના-અદ્રશ્ય શક્તિ અંધવિશ્વાસમાં પ્રેરાય છે. આ ગેરઈરાદા- હેતુવિહિન હત્યા છે તેથી મહિલાને જે 10 વર્ષની સજા ભોગવી છે તે પુરતી છે.