મંગળવારે, પીએમ મોદીએ ત્રણેય સેનાના વડાઓ, NSA અજિત ડોભાલ, CDS અનિલ ચૌહાણ સાથે દોઢ કલાક સુધી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પીએમએ આતંકવાદનો સામનો કરવા માટે ત્રણેય દળોને છૂટ આપી. પીએમએ કહ્યું- આતંકવાદને યોગ્ય ફટકો આપવાનો આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે. અમને ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ છે. આતંકવાદ સામે કાર્યવાહીની પદ્ધતિ, લક્ષ્ય અને સમય સેનાએ નક્કી કરવો જોઈએ.
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક આજે સવારે 11 વાગ્યે યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેની અધ્યક્ષતા કરશે. પહેલગામ આતંકવાદી હુમલા (22 એપ્રિલ) પછી આ પહેલી કેબિનેટ બેઠક છે. બેઠકમાં હુમલાની ચર્ચા થઈ શકે છે. ગયા અઠવાડિયે કેન્દ્રીય મંત્રીમંડળની કોઈ બેઠક નહોતી. ફક્ત 23 એપ્રિલે સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક મળી હતી, જેમાં આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી હતી. 22 એપ્રિલના રોજ પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
હાવર્ડમાં ભારતીયોએ પાકિસ્તાની ડેલીગેશનની મુલાકાતનો વિરોધ કર્યો
હાર્વર્ડ યુનિવર્સિટીના ભારતીય વિદ્યાર્થીઓએ પાકિસ્તાની પ્રતિનિધિમંડળની મુલાકાતનો વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓએ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોને પત્ર લખીને પાકિસ્તાની અધિકારીઓના વિઝા રદ કરવાની માગ કરી છે. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક પાકિસ્તાની મંત્રીઓ પહેલગામ જેવા હુમલાઓને વૈચારિક સમર્થન આપે છે, છતાં તેઓ હાર્વર્ડના ‘પાકિસ્તાન કોન્ફરન્સ 2025’માં હાજરી આપી રહ્યા છે.