પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અત્તાઉલ્લાહ તરારે કહ્યું કે પાકિસ્તાન પાસે નક્કર માહિતી છે કે ભારત આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર એક વીડિયો જાહેર કરીને આ દાવો કર્યો છે.
પાકિસ્તાની સેના છેલ્લા પાંચ દિવસથી નિયંત્રણ રેખા (LoC) પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહી હતી પરંતુ મંગળવારે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાની સેનાએ સતત છઠ્ઠી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. મંગળવારે રાત્રે પાકિસ્તાને બારામુલ્લા અને કુપવાડા સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ પર પરગલ સેક્ટરમાં પણ ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ હળવા હથિયારોથી ગોળીબાર કરીને જવાબ આપ્યો. હાલમાં કોઈ જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.