ચાર ધામ યાત્રા આજે અક્ષય તૃતીયાના દિવસે શરૂ થઈ રહી છે. ગંગાની પાલખી ગંગોત્રી ધામ પહોંચી છે. યમુનોત્રી મંદિર સમિતિના જણાવ્યા અનુસાર, કપાટ ખોલવાના પહેલા દિવસે 10,000 લોકો આવવાની અપેક્ષા છે. અત્યાર સુધીમાં એક હજાર લોકો ગંગોત્રી ધામમાં દર્શન માટે પહોંચી ચૂક્યા છે.
કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ ખુલશે અને બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખુલશે.ગયા વર્ષે, ભારે વરસાદને કારણે કેદારનાથ માર્ગને નુકસાન થવાને કારણે યાત્રા 15 દિવસથી વધુ સમય માટે ખોરવાઈ હતી. આમ છતાં, 48.11 લાખથી વધુ યાત્રાળુઓ આવ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. આ વખતે આ આંકડો 60 લાખથી ઉપર જવાની ધારણા છે.