જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી જડબાતોડ જવાબ
આપ્યો છે. પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક કરીને 9 આતંકી કેમ્પોનો ખાતમો બોલાવી દીધો છે.
જોકે, તેની બાદ ભારતે પાકિસ્તાન સાથે અડીને આવેલી સરહદોની સુરક્ષા પણ વધારી દીધી છે.
જેના પગલે ગુજરાતની કચ્છ જિલ્લાની ઇન્ડો- પાક બોર્ડર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
તેમજ કચ્છ જિલ્લાના ભુજ એરપોર્ટને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત
રાજકોટ અને જામનગર એરપોર્ટને અચોક્કસ મુદ્દત માટે સામાન્ય નાગરિકો માટે બંધ કરી દેવામાં
આવ્યું.ઓપરેશન સિંદૂર બાદ રાજકોટ-ભુજ અને જામનગરની એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ
કરવામાં આવી છે. આ હુમલાથી ગુજરાતના એરફોર્સ બેઝ અને સરહદ પર સૈન્ય એલર્ટ થઈ ગયું છે.