કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘અમને અમારી સેના પર ગર્વ છે. મોદી સરકાર ભારત અને તેના લોકો
પરના કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપવા માટે કટિબદ્ધ છે. ભારત આતંકવાદને તેના મૂળમાંથી
નાબૂદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અમારી સેનાના આ સાહસિક પગલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે
ભારત કોઈપણ પડકારનો હિંમતભેર સામનો કરશે અને પોતાના નાગરિકોની સુરક્ષા માટે દરેક શક્ય
પગલું ભરશે.’