ગુજરાતમાં રાજ્ય કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જન્મ ભૂમિ
અનંત અનાદિ વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય
પ્રધાન ભૂપેન્દ્ર પટેલ યોગ દિવસ ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે યોગાસનો કરીને
સહભાગી બન્યા હતાં.