Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એમપીના 100 હેક્ટર વિસ્તારમાંથી મળી આવ્યો સોનાનો ભંડાર

ભૂવિજ્ઞાન અને ખનિજ સંસાધન વિભાગની ટીમને મહંગવા કેવલારી વિસ્તારમાં લાંબા સમયથી કરાઈ રહેલા સંશોધનને મળી સફળતા

dharmendravaghela by dharmendravaghela
2025-08-06 11:51:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશના જબલપુરમાં એક ઐતિહાસિક શોધ થઈ છે, જે રાજ્યની આર્થિક સ્થિતિને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. ભૂવૈજ્ઞાનિકોની ટીમે સિહોરા તહસીલના મહંગવા કેવલારી વિસ્તારમાં જમીનની અંદર સોનાનો વિશાળ ભંડાર મળી આવ્યો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આ શોધખોળથી જબલપુર દેશના સૌથી સમૃદ્ધ ખનિજ વિસ્તારોમાં સ્થાન મેળવી શકે છે. ઘણા વર્ષોથી ચાલતી શોધ અને નમૂનાઓની તપાસ બાદ આ સફળતા મળી છે, જેનાથી સ્થાનિક લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભૂવિજ્ઞાન અને ખનિજ સંસાધન વિભાગની ટીમે મહંગવા કેવલારી વિસ્તારમાં લાંબા સમયથી સંશોધન કરી રહ્યા હતા. સંશોધનમાં આ વિસ્તારમાં લગભગ 100 હેક્ટરમાં સોનાના ભંડારની હાજરીના પુરાવા મળ્યા છે.રાસાયણિક પરીક્ષણોમાં માટીના નમૂનાઓમાં સોના ઉપરાંત તાંબુ અને અન્ય કીમતી ધાતુઓની હાજરીની પુષ્ટિ થઈ છે. વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ પરીક્ષણોના પરિણામો સ્પષ્ટ છે અને આ શોધ મધ્ય ભારતની સૌથી મહત્વપૂર્ણ ખનિજ શોધોમાંની એક બની શકે છે. આ શોધના પરિણામે જબલપુર ભારતના સૌથી ધનિક ખનિજ વિસ્તારોમાં સામેલ થઈ શકે છે. આ ભંડારથી આ વિસ્તારમાં આર્થિક વિકાસની નવી તકો ખુલશે. નિષ્ણાતોનું માનવું છે કે આ શોધથી ઔદ્યોગિક રોકાણમાં વધારો થશે અને સ્થાનિક અર્થવ્યવસ્થાને નવું બળ મળશે. જબલપુર લાંબા સમયથી લોહ અયસ્ક અને અન્ય ખનિજોના નિકાસ માટે જાણીતું છે. અહીં 42 ખાણો આવેલી છે, જ્યાંથી લોખંડ, મેંગનીઝ, લેટેરાઈટ, ચૂનાનો પથ્થર અને સિલિકા રેતી જેવા ખનિજો નીકળે છે. આ ખનિજોનો મોટો ભાગ ચીન સહિત અન્ય દેશોમાં નિકાસ થાય છે. સોનાના ભંડારની શોધથી આ વિસ્તારમાં ખનનનું માળખું વધુ મજબૂત બનશે, કારણ કે અહીં ખનન માટે જરૂરી સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે.

Tags: gold reservejabalpurMP
Previous Post

ભારતે યુએસના રશિયા સાથે વેપારના આંકડા આપતા ટ્રમ્પએ કહ્યું મને ખબર નથી? તપાસ કરીશ

Next Post

બે વોટર આઈડી કાર્ડ રાખવા એ સજા પાત્ર ગુનો

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
બે વોટર આઈડી કાર્ડ રાખવા એ સજા પાત્ર ગુનો

બે વોટર આઈડી કાર્ડ રાખવા એ સજા પાત્ર ગુનો

Discover the Versatile Functions of Bscscan for Traders

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.