ભારતીય શેર બજારમાં આજે કારોબાર શરુ થતાની સાથે જ મોટું ગાબડું પડ્યું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જનો
બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 800 પોઈન્ટના ઘટાડા સાથે 73,732 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ
એકચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 290 પોઈન્ટના ઘટાડા સાથે 22,824 પર ખુલ્યો. બજાર ખુલતાન
થોડી જ વારમાં સેન્સેક્સ 1,281 પોઈન્ટના ઘટાડા સાથે 73,254 પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 400
પોઈન્ટના ઘટાડા સાથે 22,714 પર પહોંચી ગયો.
એનએસસી પર માત્ર 246 શેર વધારા સાથે ગ્રિન સિગ્નલમાં ટ્રેડ કરી રહ્યા હતાં, જ્યારે 2,356 ઘટાડા
સાથે રેડ સિગ્નલમાં ટ્રેડ કરી રહ્યા હતાં. તમામ સેક્ટરલ ઇન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
ઓટો, મીડિયા, બેંકિંગ, મેટલ અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં લગભગ 2%નો ઘટાડો નોંધાયો.
નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા
અને એચડીએફસી બેંકના શેરોનમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો, મેક્સ હેલ્થકેર અને ઓએનજીસી ના
શેરમાં વધારો નોંધાયો.ભારતીય શેરબજારમાં પહેલાથી જ વિદેશી નકારાત્મક સંકેત જોવા મળી રહ્યા
હતા. સોમવારે તમામ એશિયન શેર બજારોમાં હાહાકારની સ્થિતિ જોવા મળી હતી. જાપાનનો નિક્કેઈ
ઈન્ડેક્સ 4.10 ટકા તૂટી 50800ના લેવલે ધરાશાયી થઈ ગયો હતો. હોંગકોગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ
3% સુધી તૂટી 24532 પર કારોબાર કરતો દેખાયો હતો. જ્યારે સાઉથ કોરિયાનું કોસ્પી પણ 5.10 ટકા
તૂટી 5409 પર આવી ગયો હતો. સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી, ટાટા સ્ટીલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા,
બજાજ ફાઇનાન્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટાઇટન અને અદાણી પોર્ટ્સ સૌથી વધુ નુકસાન સહન કરી રહ્યા
હતા. એચસીએલ ટેક એકમાત્ર વિજેતા તરીકે ઉભરી આવ્યા.
બેંકિંગ અને બજાર નિષ્ણાત અજય બગ્ગાના મતે, પરિસ્થિતિ ઝડપથી વકરી રહી છે, જે સ્પષ્ટપણે
રોકાણકારોમાં ગભરાટ પેદા કરી રહી છે. અજય બગ્ગાએ જણાવ્યું હતું કે સપ્તાહની શરૂઆત અત્યંત
અસ્થિર વાતાવરણમાં થઈ હતી, અને રોકાણકારો જોખમી સંપત્તિઓમાંથી ભંડોળ ઉપાડી રહ્યા છે અને
ડોલર જેવા સુરક્ષિત આશ્રયસ્થાનો તરફ જઈ રહ્યા છે. તેમણે નોંધ્યું હતું કે યુએસ મની માર્કેટ ફંડ્સનું
એયુએમ $8 ટ્રિલિયનને વટાવી ગયું છે, જે સલામતી તરફના આ ઉડાનને પ્રતિબિંબિત કરે છે.
બગ્ગાના મતે, બજારના ગભરાટનું સૌથી મોટું કારણ યુએસ રાષ્ટ્રપતિ દ્વારા ઈરાનને આપવામાં આવેલ
48 કલાકનું અલ્ટીમેટમ છે. તેમાં જણાવાયું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે હાલમાં તેની યુદ્ધ પહેલાની
ક્ષમતાના માત્ર 5% પર કાર્યરત છે, તેને સંપૂર્ણપણે ખોલવું આવશ્યક છે, અન્યથા ઈરાનના પાવર
ગ્રીડને નિશાન બનાવી શકાય છે.





