Saturday, April 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં ૧૧ લોકોના મોત

મિર્ઝાપુર-રીવા રાષ્ટ્રીય રાજમાર્ગ પર બેકાબૂ બનેલા ટ્રેલરે વાહનોને અડફેટે લેતા : બોલેરો સવાર પરિવારના ૯ સભ્યો જીવતા ભુંજાયા

dharmendravaghela by dharmendravaghela
2026-04-23 11:38:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બુધવારની રાત્રે એક કાળજું ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં માસૂમ બાળક સહિત કુલ 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મિર્ઝાપુર-રીવા રાષ્ટ્રીય રાજમાર્ગ પર ડ્રમડગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેકાબૂ બનેલા ટ્રેલરે હસતા-રમતા પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી હતી.
રાત્રે આશરે સાડા નવ વાગ્યાના સુમારે મધ્યપ્રદેશથી કપચી ભરીને આવી રહેલા એક ટ્રેકની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. ઢાળ પર ટ્રકએ કાબૂ ગુમાવતા તેણે પહેલા એક સ્વિફ્ટ કારને અડફેટે લીધી અને ત્યારબાદ સામેથી આવતા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાયો હતો. આ જ સમયે પાછળથી આવી રહેલી એક બોલેરો કાર સીધી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બોલેરોમાં જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
આ દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન બોલેરોમાં સવાર પરિવારને થયું હતું. બોલેરોમાં આગ લાગતા ડ્રાઈવર સહિત તેમાં સવાર તમામ 9 લોકો અંદર જ ફસાઈ ગયા હતા અને જોતજોતામાં તમામ જીવતા ભૂંજાયા હતા. મૃતકોમાં 8 વર્ષનો બાળક, તેની માતા અને અન્ય મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્વિફ્ટ કારના ડ્રાઈવર અને ટ્રકના ક્લીનરનું પણ મોત નીપજ્યું છે. આ તમામ લોકો જીગ્ના વિસ્તારના નરૈના ગામના રહેવાસી હતા અને મધ્યપ્રદેશના મૈહર ખાતે દીકરાનું મુંડન કરાવીને ખુશી-ખુશી ઘરે પરત ફરી રહ્યા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આગ એટલી ભયાનક હતી કે કોઈને પણ બહાર કાઢવાની તક મળી નહોતી. ઘટનાની જાણ થતા જ એસપી અપર્ણા રજત કૌશિક અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. એક માસૂમ દીકરાનું મુંડન કરાવીને ઘરે પરત ફરતા આખા પરિવારનો આ રીતે કરુણ અંત આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Tags: 11 dieaccidentup
Previous Post

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મતદાન માટે ઉત્સાહ

Next Post

ઓપરેશન સિંદૂર યથાવત…જમ્મુ કાશ્મીરમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાશે

dharmendravaghela

dharmendravaghela

Related News

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ
તાજા સમાચાર

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

April 25, 2026
તાજા સમાચાર

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

April 25, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના વિદેશ પ્રધાન પ્રતિનિધિઓ સાથે પાકિસ્તાન પહોંચ્યા : મધ્ય પૂર્વમાં શાંતિ માટે થશે વાતચીત

April 25, 2026
Next Post

ઓપરેશન સિંદૂર યથાવત...જમ્મુ કાશ્મીરમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાશે

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ

હોર્મુઝ બાદ ઈરાનની ઇન્ટરનેટ સેવા ખોરવવાની ચેતવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.