ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) દ્વારા ૨૯ બીપીએલ કાર્ડધારક બહેનો માટે આયોજિત નિ:શુલ્ક મહિલા સિલાયકામ તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર શ્યામ નિવાસ, ફેકલ્ટી ઇશાનભાઇ, જયેશભાઇ ગોહિલ અને સ્ટાફે બહેનોને પ્રમાણપત્ર એનાયત કરી આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી હતી તેમજ બિઝનેસ લોન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત આરસેટી બજારનું પણ આયોજન કરાયું હતું, જેમાં તમામ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

