ભાવનગરના સરદારનગર ખાતે આવેલી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરીમાં ત્રિ શક્તિ આર્ટ આયોજિત ભારતભરના 75 જેટલા ચિત્ર અને ફોટોગ્રાફરનો પ્રદર્શન ખુલ્લું મુકાયું.આ પ્રદર્શન ભાવનગરના મેયર ઉષાબેન તલરેજાના હસ્તે ખુલ્લુ મુકાયું આ પ્રસંગે અમુલ પરમાર, હિમાચલ મહેતા, જાદુગર મંગલ ,જાદુગર યુવરાજ, તેમજ અજય ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગે મેયરએ ત્રીશક્તિના આયોજક પ્રિયાબા જાડેજા તેમજ નમ્રતાબા ગોહિલને બિરદાવ્યા હતા કાર્યક્રમનું સંચાલન સ્નેહલ ત્રિવેદીએ કર્યું હતું આ પ્રદર્શન તા21 સુધી રોજ સવારે 10થી 8 સુધી ખુલ્લું રહેશે




