શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે આજે તા.20ને શનિવારે દાદાને દિવ્ય જરદોશી વર્કવાળા વાઘા અને ચાંદીનો મુગટ એવં મંદિરના ગર્ભગૃહને જૂઈ-ગુલાબના મિક્સ ફૂલોનો નયનરમ્ય અને કલાત્મક શણગારના દર્શન કરી હજારો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.મંદિરના ગર્ભગૃહમાં પુષ્પો ગુલાબી, જૂઈના સફેદ ફૂલો વડે શણગાર કરાયો હતો, સુખડીનો અન્નકૂટ ધરવાયો હતો. સવારે ૦૫:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા અને શણગાર આરતી: સવારે ૦૭ કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના આ નયનરમ્ય અને કલાત્મક સ્વરૂપના દર્શન કરી હજારો શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે.




