૨૧ જૂન, ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ના પાવન અવસરે સમગ્ર વિશ્વ જ્યારે યોગમય બન્યું છે, ત્યારે ઐતિહાસિક તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આ દિનની અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના સંતો, યુવકો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. શિસ્તબદ્ધ રીતે થયેલા આ સામૂહિક યોગાભ્યાસથી સમગ્ર વાતાવરણ ઊર્જાવાન અને પવિત્ર બની ગયું હતું.






