અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ.બહેન સુભદ્રાજીની નગર જોવા માટેની ઇચ્છા પૂરી કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીએ આજના દિવસે રથમાં બેસીને નગરભ્રમણ કર્યું હતું.સામાન્ય રીતે પ્રભુના દર્શન માટે ભાવિકો તેમના દ્વારે જતા હોય છે,અહીં ભગવાન પોતે તેમના ભાઈ અને બહેન સાથે લોકોને દર્શન આપવા માટે નીકળ્યા હતા.ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીનો બહેન પ્રત્યેનો પ્રેમ સદાય અખંડ રહે તે માટે દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે. ઓડિશામાં આવેલ જગપ્રસિદ્ધ જગન્નાથ પુરીમાં આજથી રથયાત્રાનો પરંપરા મુજબ પ્રારંભ થયો છે.ભગનાની રથયાત્રામાં લાખો ભક્તો જોડાયા છે.ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પણ રથયાત્રા પર્વની દેશવાસીઓને શુભકામના પાઠવી છે.ગુજરાતના અમદાવાદ શહેરમાં નીકળતી રથયાત્રા દેશમાં બીજા ક્રમે છે.આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાનના રથની પહિંદવિધિ કરી હતી અને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.જગતના નાથના દર્શન કરવા માટે હજારો ભાવિક ભાવવિભોર બન્યા હતા.
—-




