વિદેશમાં કામ કરવા માટે ગયેલા ભારતીય નાગરિકોના જીવનને લઈને એક ખૂબ જ ચિંતાજનક અહેવાલ
સામે આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના આંકડા મુજબ, વર્ષ 2023 થી 2025 ની વચ્ચે વિદેશમાં
કામ કરતી વખતે 800 થી વધુ ભારતીય પ્રવાસી શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે. સૌથી આશ્ચર્યજનક
બાબત એ છે કે આમાંથી 55% મોત માત્ર ખાડી (Gulf) દેશોમાં થયા છે. જ્યાં સરેરાશ દર અઠવાડિયે
લગભગ 3 શ્રમિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. ગયા મહિને કતરમાં થયેલા એક વિસ્ફોટમાં 12
ભારતીયોના મોત બાદ આ મામલે સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
વિદેશી દેશોની યાદીમાં સાઉદી અરેબિયા મોખરે છે. જ્યાં 3 વર્ષમાં સૌથી વધુ 182 મોત નોંધાયા છે,
એટલે કે દર અઠવાડિયે એક કરતા વધુ ભારતીય શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ સંયુક્ત આરબ
અમીરાત નો નંબર આવે છે. જ્યાં 128 મોત થયા છે. આ ઉપરાંત, ખાડી દેશોમાંથી જ આત્મહત્યાના
સૌથી વધુ કેસો પણ સામે આવ્યા છે. જે ત્યાં કામ કરતા પ્રવાસી શ્રમિકોના કઠોર સંઘર્ષોને ઉજાગર કરે
છે
આ આંકડાઓને જોતા વિદેશ મંત્રાલય (MEA) નું કહેવું છે કે સરકાર વિદેશમાં રહેતા ભારતીયોની
સુરક્ષા અને ભલાઈને સર્વોપરી રાખે છે. નવી દિલ્હીની સાથે-સાથે દુબઈ, રિયાદ અને જેદ્દાહ જેવા
શહેરોમાં ‘પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્ર’ બનાવવામાં આવ્યા છે. ભારતીય મિશન સતત લેબર વિંગના
માધ્યમથી કામ કરી રહ્યા છે. દૂર-દરાજ વિસ્તારોમાં જઈને ઓપન હાઉસ અને કેમ્પ લગાવવામાં આવે છે
જેથી શ્રમિકોની સમસ્યાઓ સાંભળી શકાય. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે માત્ર સરકારી
એજન્સીઓને જ ‘ઈ-માઈગ્રેટ’ પોર્ટલના માધ્યમથી ઈસીઆર (ECR) પાસપોર્ટવાળી મહિલાઓને ખાડી
દેશોમાં મોકલવાની મંજૂરી આપવામાં આવી છે.






