આજથી પવિત્ર દશામાના દસ દિવસીય વ્રતનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે, જેને લઈને ભાવનગર શહેરમાં માય ભક્તોમાં અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વ્રતના પ્રથમ દિવસે શહેરમાં વાજતે-ગાજતે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ડીજેના તાલે ગૂંજતા ભક્તિગીતો અને “જય દશામા”ના નારા સાથે વાતાવરણ પવિત્ર બની ગયું હતું. ઠેર-ઠેર દશામાના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં શ્રદ્ધાળુઓ માતાજીની પ્રતિમાની સ્થાપના કરી વિધિપૂર્વક પૂજા-અર્ચના કરી રહ્યા છે.




