રશિયાએ ઓગસ્ટમાં રેકોર્ડ ૧૭.૨ મિલિયન ટન પેટ્રોલિયમ ઉત્પાદનો આયાત કર્યા હતા. આમાં ભારતમાં રશિયન ક્રૂડ ઓઇલમાંથી રિફાઇન્ડ પેટ્રોલનો મોટો જથ્થો શામેલ હતો. સેન્ટર ફોર રિસર્ચ૨ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના માસિક અહેવાલમાં આ માહિતી બહાર આવી છે. રિપોર્ટ અનુસાર, યુક્રેનના સતત ડ્રોન હુમલાઓએ રશિયાની પોતાની રિફાઇનરીઓમાં ઇંાૃધણ ઉત્પાદનને અસર કરી છે, જેના કારણે રશિયાને તેની જરૂરિયાતો પૂરી કરવા માટે અન્ય દેશોમાંથી પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદવાની ફરજ પડી છે.
ઓગસ્ટમાં રશિયાની તેલ ઉત્પાદન આયાતનો લગભગ ૭૦% ભારતમાંથી આવ્યો હતો. એકલા ભારતે આશરે ૧૨૦,૦૦૦ ટન પેટ્રોલ રશિયા મોકલ્યું હતું, જેની કિંમત આશરે ૭૮ મિલિયન યુરો હતી. ઓગસ્ટમાં રશિયાની કુલ તેલ ઉત્પાદન આયાત અગાઉના માસિક રેકોર્ડ કરતાં સાત ગણી વાૃધારે થઈ ગઈ હોતી. વધુમાં ઓગસ્ટની આયાત ૨૦૨૫ દરમિયાન રશિયા દ્વારા આયાત કરાયેલા તેલ ઉત્પાદનોના કુલ જથ્થા કરતાં લગભગ ત્રણ ગણી હતી. ભારતમાંથી રશિયામાં મોકલવામાં આવતું તમામ પેટ્રોલ ગુજરાતની વાડીનાર રિફાઇનરીમાંથી મોકલવામાં આવ્યું હતું. તે નાયરા એનર્જી દ્વારા રશિયાની સરકારી તેલ કંપની રોઝનેફ્ટને વેચવામાં આવ્યું હતું. રોઝનેફ્ટ નાયરા એનર્જીમાં ૪૯.૧૩% હિસ્સો ાૃધરાવે છે. ૨૦૨૬ ના પ્રથમ આઠ મહિનામાં, વાડીનાર રિફાઇનરીએ તેની બાૃધી ક્રૂડ તેલની જરૂરિયાતો રશિયા પાસેથી ખરીદી હતી. ૨૦૨૫ માં, રશિયન ક્રૂડ તેલમાં રિફાઇનરીઓનો હિસ્સો આશરે ૮૧% હતો. સરળ શબ્દોમાં કહીએ તો, રશિયન ક્રૂડ તેલ પહેલા ભારતમાં આવ્યું. તેને વાડીનાર રિફાઇનરીમાં પેટ્રોલમાં પ્રોસેસ કરવામાં આવ્યું અને પછી રશિયા પાછું મોકલવામાં આવ્યું હોતું. ભારતથી રશિયા જતા પેટ્રોલના દરેક શિપમેન્ટને ઇજિપ્તના દરિયાકાંઠે એક જહાજથી બીજા જહાજમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું. ત્યારબાદ પેટ્રોલને રશિયન આર્કટિક બંદર બેલો મોર પર પહોંચાડવામાં આવતું હતું.





