Tuesday, August 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગાંધીનગર સહિત 8 IITના ડાયરેક્ટર્સની નિમણૂંક

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નિમણૂંક માટે મંજૂરી આપી: શિક્ષણ મંત્રાલયે તમામ પ્રોફેસરોને અભિનંદન પાઠવ્યા

aaspassdaily by aaspassdaily
2022-09-20 10:22:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારના 19 સપ્ટેમ્બરના રોજ 8 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) માં નવા ડિરેક્ટરોની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. આ અંગે ખુદ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ટ્વિટ કરીને માહિતી આપી છે.
શિક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે IIT મદ્રાસના પ્રોફેસર શેષાદ્રી શેખર અને પ્રોફેસર શ્રીપદ કર્માલ્કરને ક્રમશ: IIT પલક્કડ અને IIT ભુવનેશ્વરના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે IIT ખડગપુરના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર વેંકયપ્પા.આર દેસાઈને IIT ધારવાડના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો IIT ધારવાડના વર્તમાન ડિરેક્ટર પ્રોફેસર પશુમર્થી સેશુને IIT ગોવાના ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તદુપરાંત પ્રોફેસર કે.એન સત્યનારાયણને આઈઆઈટી તિરુપતિ, પ્રોફેસર રાજીવ પ્રકાશને આઈઆઈટી ભિલાઈ, પ્રોફેસર રજત મૂનાને આઈઆઈટી ગાંધીનગર અને પ્રોફેસર મનોજ સિંહ ગૌરને આઈઆઈટી જમ્મુના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય વતી ટ્વિટ કરીને આ તમામ પ્રોફેસરોને તેમની નવી નિમણૂંક અને ડાયરેક્ટર બનાવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
આ અગાઉ સોમવારના યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે IIT એ માત્ર શૈક્ષણિક સંસ્થાઓ નથી, પરંતુ તે વૈજ્ઞાનિક સ્વભાવ વિકસાવવા અને માનવતા માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટેનું મંદિર છે. તેઓએ એમ પણ કહ્યું કે, અમારા સમાજને તમામ IIT પાસેથી અનેક અપેક્ષાઓ છે. આઈઆઈટીમાં શિક્ષણ મેળવતા આપણા વિદ્યાર્થીઓએ પ્રગતિ અને વિકાસના માર્ગદર્શક બનવું પડશે. તેઓએ કહ્યું કે હવે તે દિવસ દૂર નથી કે જ્યારે સમગ્ર વિશ્વ મગજ સંશોધન કેન્દ્રનો લાભ લેવા IIT મદ્રાસ આવશે. 3D-પ્રિંટિંગ ટેક્નોલોજી જેવા નવીન વિચારો બાંધકામ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે, વિસ્થાપનના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ઘણી મદદ કરી શકે છે અને ગરીબોને ગૌરવપૂર્ણ જીવન આપી શકે છે.
કેન્દ્રીય મંત્રીએ એ વાત પર ભારપૂર્વક નિવેદન આપતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ‘પંચ પ્રાણ’ અપનાવવાની આપણા સૌને અપીલ કરી છે. ભારતને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા તેમજ ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવામાં IIT મદ્રાસ જેવી સંસ્થાઓની મહત્વની ભૂમિકા છે. આગામી 25 વર્ષ આપણા બધા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અમે ‘અમૃત કાલ’ માં પ્રવેશ કરતા સમયે આપણે એક એવા દેશ પર વિજય મેળવ્યો કે છે જેણે આપણને વસાહતીકરણ બનાવી લીધા હતા. ભારત અભૂતપૂર્વ ગતિએ વિકાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ઝડપથી વિકાસ કરી રહેલા ભારતની સ્થાનિક જરૂરિયાતો વિશાળ હશે કે જે આપણા તમામ IIT એ પૂરી કરવી પડશે.

Tags: IIT directors appointedindia
Previous Post

સિહોર રેલવે ફાટક પાસે એક સાથે પાંચ ભેંસોના ટ્રેન હડફેટે મોત

Next Post

ગુજરાતમાં IT વિભાગ એક્શન મોડમાં: 7 હજારથી વધુ કરદાતાઓને નોટિસ

aaspassdaily

aaspassdaily

Related News

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા

August 19, 2025
પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર
તાજા સમાચાર

પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર

August 19, 2025
સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ
તાજા સમાચાર

સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ

August 19, 2025
Next Post
ગુજરાતમાં IT વિભાગ એક્શન મોડમાં: 7 હજારથી વધુ કરદાતાઓને નોટિસ

ગુજરાતમાં IT વિભાગ એક્શન મોડમાં: 7 હજારથી વધુ કરદાતાઓને નોટિસ

ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચાશે તો પણ માલધારી સમાજ આંદોલન ચાલુ જ

ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચાશે તો પણ માલધારી સમાજ આંદોલન ચાલુ જ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.