સરકાર દ્વારા ગાયો માટે ઘાસચારોના સહાય માટે 500 કરોડની જાહેર કરવામાં આવી હતી. જાહેર કરેલી સહાય મામલે હવે સહાય ન ચૂકવાતા વિરોધ કરી રહ્યા છે. જાહેર કરેલી સહાય ચૂકવવા સરકાર સામે વિવિધ રીતે વિરોધ કરી રહ્યા છે. રાધનપુરના ગૌશાળા સંચાલકોએ પશુઓને સરકારી કચેરીમાં ગાયો છોડવાની આપી ચીમકી હતી. આજે વહેલી સવારે રાધનપુર પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં ગૌભક્તોએ ગાયોનો ખડકલો કર્યો છે. રાધનપુર ગૌભક્તોએ સુરભીગૌશાળા તેમજ પાંજરાપોળની ગાયો સરકારી કચેરીમાં બાંધી વિરોધ કર્યો છે. ગાયોને એક દિવસ પૂરતો ઘાસચારો નાખી પ્રાંતકચેરી તેમજ મામલતદાર કચેરીમાં બાંધવામાં આવી છે.
જો સત્વરે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં નહી આવે તો હજુ પણ જાહેર માર્ગો પર બનાસકાંઠાના 180 ગૌશાળાની ગાયો છોડવાની ગૌભક્તો આપી ચીમકી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચીમકીને પગલે બનાસકાંઠાનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આ સાથે જ ગૌશાળા અને પાંજરાપોળની પશુઓ છોડવાની ચીમકીના પગલે પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.
પાંજરાપોળના સંચાલકોએ જિલ્લાની તમામ ગૌશાળાની ગાયો છોડવાની ચિમકી આપી છે. 500 કરોડનું બજેર મંજુર કર્યા બાદ પણ સહાર ચૂકવમાં આવી નથી. જાહેરાત બાદ પણ સહાય ન ચૂકવાતા પાંજરાપોળના સંચાલકો સરકારી કચેરીઓ અને જાહેર રસ્તા પર ગાયો છોડવાની ચિમકી આપી રહ્યા છે. આ પગલે ડીસાનાં રાજપુર પાંજરાપોળ આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા આવ્યો છે.