Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગેહલોત લડશે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી, ગાંધી પરિવાર રેસમાં નહીં

24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી નામાંકન ભરવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2022-09-23 11:54:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ સમગ્ર હવે ચિત્ર ધીરે-ધીરે સ્પષ્ટ થતું જઇ રહ્યું છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી પ્રમુખ પદની દાવેદારીને લઈને વધારે અસમંજસની સ્થિતિ હતી ત્યારે હવે તેનો અંત આવ્યો છે. અશોક ગેહલોતે સ્પષ્ટ કરી દીધું છે કે, ‘તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના છે.’ તેમના કહેવા મુજબ, ‘રાહુલ ગાંધીએ નક્કી કરી દીધું છે કે તેઓ રેસમાં નહીં હોય, આથી હવે ગેહલોત પોતાનું નામાંકન દાખલ કરશે અને પદ માટે દાવેદારી રજૂ કરશે.’
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને આખરે કન્ફ્યુઝન દૂર કર્યું છે અને એલાન કર્યું છે કે તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. ગેહલોતે કહ્યું કે હું ચૂંટણી લડીશ એ નક્કી છે અને આગામી સમયમાં નામાંકન ભરીશ, દેશની હાલની જે પરિસ્થિતિ છે તેને જોતાં વિપક્ષ ખૂબ મજબૂત હોવો જરૂરી છે.
અશોક ગેહલોતે ચૂંટણી લઈને ગાંધી પરિવારની ભૂમિકા પર પણ ખુલાસો કર્યો હતો, ગેહલોતે કહ્યું મેં ઘણીવાર રાહુલ ગાંધીને અધ્યક્ષ બનવા માટે પ્રસ્તાવ આપ્યો હતો પણ તેમણે ખૂબ જ સ્પષ્ટ કરી દીધું છે કે ગાંધી પરિવારમાંથી કોઈ જ ચૂંટણી લડશે નહીં. ચૂંટણી લડવાની જાહેરાત સાથે અશોક ગેહલોતે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ રાજસ્થાનના સીએમ પદ છોડવા જઈ રહ્યાં છે. તેઓએ કહ્યું કે એક વ્યક્તિ એક પદ હેઠળ રાજસ્થાનનું સીએમ પદ છોડશે. સોનિયા ગાંધી અને પ્રદેશ પ્રભારી નક્કી કરશે કે આગળ કમાન કોને મળશે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે 22 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી નામાંકન ભરવામાં આવશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના હોવા પર 17 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે અને 19 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

Tags: congress electiongehlot chutani ladhseindia
Previous Post

દેશમાં પ્રથમવાર સરકારી હોસ્પિટલમાં ‘રોબોટ’થી કિડની ટ્રાન્સપ્લાન્ટ

Next Post

મેઘતાંડવથી ઉત્તર ભારત બેહાલ: 13નાં મોત

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
મેઘતાંડવથી ઉત્તર ભારત બેહાલ: 13નાં મોત

મેઘતાંડવથી ઉત્તર ભારત બેહાલ: 13નાં મોત

ભાલ વિસ્તારનાં નર્મદ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી

ભાલ વિસ્તારનાં નર્મદ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.