હિમાચલમાં પ્રવાસીઓથી ભરેલું વાહન ઊંડી ખીણ પડી જતા સાત લોકોનાં મોત થયાં હતાં અને 10 લોકો ઘાયલ થયાં હતાં. 5 ઘાયલોને કુલ્લુની ઝોનલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જેમાંથી 5ની સારવાર બંજરની હોસ્પિટલમાં ચાલી રહી છે.
IIT વારાણસીના વિદ્યાર્થીઓ સહિત કુલ 17 પ્રવાસીઓ દિલ્હીથી કુલ્લુની મુલાકાતે આવ્યા હતા. રવિવારે તેઓ જાલોરી જોતની મુલાકાતે ગયા હતા. રાત્રે બંજાર તરફ પાછા આવી રહ્યા હતા, ત્યારે ઘ્યાગી વળાંક પાસે અનલોડિંગમાં બ્રેક ન લાગતાં વાહન ઉંડી ખાડીમાં પડ્યું. જેમાં 7 જેટલા પ્રવાસીઓના મૃત્યુ થયાં હતા.