ભાવનગરની એક દિવસીય ઉડતી મુલાકાતે આવેલા ગૃહ મંત્રી અને યુવા આઇકોન હર્ષ સંઘવીએ વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે વિવિધ તૈયારીઓનું નિરીક્ષણ કર્યા બાદ મોતીબાગ ખાતે આવેલાં ટાઉન હોલ ખાતે ભાવનગર જૈન મૂર્તિપૂજક ત.પા. સંઘ આયોજિત ૧૦૦૦ વર્ષીતપ આરાધના મહોત્સવમાં પહોંચ્યાં હતાં.
આ તકે હર્ષભાઇ સંઘવી અને શિક્ષણ મંત્રીએ તપસ્વીઓના આ વર્ષીતપને વધાવી આચાર્ય ર્નિમળચંદ્ર સુરીશ્વરજી મહારાજ અને કલ્પચંદ્ર સુરીશ્વરજી મહારાજના દર્શન કરીને આશિર્વાદ મેળવ્યાં હતાં. ગૃહ મંત્રીએ તપસ્વીની આરાધના શુભ થવાની શુભકામનાઓ સાથે તપસ્વી દિકરીને મીઠાઇ ખવડાવી હતી.