આવકવેરા વિભાગે હવે ટ્રસ્ટ અને નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન કરદાતા સિવાયના તમામ પ્રકારના કરદાતા માટે એક નવું એક સમાન આવકવેરા રીટર્ન ફોર્મ જાહેર કર્યુ છે. હાલ આવકવેરા રીટર્ન- અલગ-અલગ 7 ફોર્મેટમાં ઉપલબ્ધ છે અને તે અલગ અલગ પ્રકારના કરદાતાને લાગુ પડે છે પણ હાલમાં જ આવકવેરા વિભાગે બે કેટેગરી સિવાયના કરદાતા (જે આઈટીઆર-7 ભરે છે) તેમના સિવાયના તમામ માટે એક સરળ આઈટી રીટર્ન ફોર્મ ઉપલબ્ધ બનાવ્યું છે અને હાલ તે ફોર્મ અંગે સૂચનો મંગાવ્યા છે. જેમાં તા.15 ડિસેમ્બર સુધીમાં આપવાના રહેશે. જે બાદ આગામી વર્ષથી આ નવું આવકવેરા ફોર્મ અમલી બની શકે છે. હાલ કરદાતાઓને કઈ કેટેગરીમાં આવે છે તે મુજબ તેણે આઈટીઆર-વનથી આઈટીઆર-7 કોઈપણ એક આવકવેરા રીટર્ન ફોર્મ ભરવાનું રહે છે. હાલના આઈટીઆર ફોર્મ તેના શેડયુલ મુજબ ઉપલબ્ધ બને છે પણ નવું ફોર્મ તમામ શેડયુલમાં ચાલશે.
આ નવું આઈટીઆર ફોર્મ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબનું છે. જો કે હાલના આઈટીઆર-વન અને આઈટીઆર-4 ચાલું જ રહેશે અને કરદાતાને તેમાં કયુ ફોર્મ ભરવું તે વિકલ્પ રહેશે. આ નવા ફોર્મમાં પાર્ટ એ થી ઈ સુધીમાં બેઝીક એટલે કે કરદાતાના નામ વિ.ની મુખ્ય માહિતી હશે. બાદમાં તેની કુલ આવક બેન્ક ખાતાની માહિતી વિ. હશે. આ ફોર્મમાં પ્રશ્નોથી પણ એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે જો કરદાતા ‘ના’માં જવાબ આપે તો પછી તેની સાથેની સંલગ્ન કે પેટાપ્રશ્ન દ્દશ્યમાન થશે નહી.
આવકવેરાનું રીટર્ન ફોર્મ આઈટીઆર-2, આઈટીઆર-3 આઈટીઆર-5 અને આઈટીઆર-6 ભરનારને કોઈ વિકલ્પ નહી મળે તેને આ નવું ફોર્મ અમલી બની ગયા બાદ તે જ ભરવાનું રહેશે.