પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે આજે શનિવારે દાદાને દિવ્ય શ્રીફળના વાઘાનો શણગાર ધરાવી.સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાના સિંહાસનને શ્રીફળ વડે શણગારવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું તથા સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો.