Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં ખુલતી સીઝને જ ડુંગળીના ભાવ ગગડ્યા

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં દરરોજની ૨૫૦૦૦ થયેલા ડુંગળીની આવક, સારી ડુંગળીના મણે રૂ. ૪૦ થી ૫૦ ઘટી ૧ મણના ભાવ રૂ.૩૫૧ બોલાયા

aaspassdaily by aaspassdaily
2022-12-28 14:16:44
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળીની સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે રાજ્યભરમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં ખાસ કરીને તળાજા, મહુવા સહિતના તાલુકાઓમાં થાય છે અને તૈયાર થયેલ ડુંગળી સૌથી પહેલા ભાવનગર, તળાજા અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેચાવવા માટે આવે છે હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં દરરોજની ૨૫૦૦૦ થેલા જેટલી ડુંગળીની આવક થઈ રહી છે જાેકે છેલ્લા એકાદ સપ્તાહમાં ડુંગળીની ખૂલતી સિઝન સાથે જ ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એકાદ સપ્તાહથી વધુના સમયથી નવી ડુંગળીની આવક શરૂ થઈ જવા પામી છે હાલમાં ૨૦ થી ૨૫ હજાર થેલાની આવક થઈ રહી છે જેમાં એકાદ સપ્તાહ પહેલા સારી ડુંગળીનો ભાવ ખેડૂતોને એક મણનો ૪૦૦ રૂપિયા જેવો મળતો હતો તેમાં ધીમે ધીમે ઘટાડો થઈ આજે રૂપિયા ૨૦૦ થી ૩૫૧ સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા જાેકે ડુંગળીની સિઝન શરૂ થતાની સાથે જ ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે સરકાર દ્વારા ટેકાનો ભાવ વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ ઉઠાવાઇ રહી છે જાેકે આગામી દિવસોમાં હજુ ડુંગળીની મબલખ આવક થવાની હોય સારી ગુણવત્તાવાળી ડુંગળીને ઊંચો ભાવ મળવાની શક્યતાઓ પણ જણાઈ રહી છે.

મહુવા યાર્ડમાં ૫૦ હજાર થેલાની આવક
મહુવાના માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળીની આવક ચાલુ થઈ ગઈ છે. ડુંગળી પકવતા ખેડૂતોને માર્કેટની બજાર પ્રમાણે સારો ભાવ મળતો નથી. તેથી ખેડૂતોમાં થોડીક નારાજગી જાેવા મળે છે જયારે વેપારીઓને તો સારી એવી સિઝન દેખાઈ રહી છે. ગયા વર્ષે સરકારે ડુંગળીના ટેકાના ભાવ શરૂ કર્યા હતા. તો ત્યારે થોડી ઘણી ખેડૂતને રાહત મળી હતી. આ વખત પણ એવો લાભ મળે એની આશા ખેડૂતો સેવી રહ્યા છે. હાલ શિયાળુ પાકની ચાલુ શરૂઆત થઈ છે. ત્યારે મહુવાના માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળીની આવક ચાલુ થઈ ગઈ છે. ગઇકાલે મંગળવારે અંદાજે પચાસ હજાર થેલા લાલ ડુંગળીની આવક થઈ છે. સાથે ૨૦ હજાર સફેદ ડુંગળીની આવક થઈ છે. સારી આવકની સાથે હરાજીનું કામકાજ પૂરા જાેરથી ચલાવામાં આવ્યું હતું. ડુંગળી પકવતા ખેડૂતોને માર્કેટની બજાર પ્રમાણે સારો ભાવ મળતો નથી તેને લઈને ખેડૂતોમાં થોડીક પણ નારાજગી જાેવા મળે છે. ડુંગળીનો વેપાર કરતાં વેપારીઓને તો સારી એવી સિઝન દેખાઈ રહી છે કારણ કે, આવનાર દિવસોમાં હજુ પણ ડુંગળી વધારે આવશે તેવી શક્યતાઓ છે.

તળાજા માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરરાજીમાં રૂા. ૩૦૧ થી ૩૫૧ સુધીના ભાવ બોલાયા
તળાજા માર્કેટીંગ યાર્ડમાં લાંબા અંતરાળ બાદ ડુંગળીની મુહૂર્તની હરાજી શરૂ થઇ છે. નવી સિઝનની ડુંગળીની આવક થતા હરરાજીમાં ક્વોલિટી પ્રમાણે પ્રોત્સાહક ભાવો રહ્યા હતા. જેમાં સારી જાતની ડુંગળીના ભાવ મણના ૩૦૧ થી ૩૫૧ સુધીના બોલાયા હતાં. તળાજા પંથકમાં ખરીફ સીઝન પહેલાની આગોતરી વાવેતર થયેલ ડુંગળી ધીમે ધીમે આવી રહી છે, હાલ હજી ડુંગળીનો નવો માલ આવતો ન હોવાથી સારી ગુણવત્તાવાળી ડુંગળીનો પ્રોત્સાહક અને ઊંચો મળવાની શક્યતા છે.

Tags: bhavnagardungali pricemahuvaTalaja
Previous Post

ભાવેણાની ૧૨ વર્ષીય ઋચા ત્રિવેદી યોગામાં વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ક્વોલીફાઇ

Next Post

જાપાનમાં કોરોનાથી એક દિવસમાં 415 ના મોત

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
જાપાનમાં કોરોનાથી એક દિવસમાં 415 ના મોત

જાપાનમાં કોરોનાથી એક દિવસમાં 415 ના મોત

પ્રતિબંધિત PFI પર NIA એક્શનમાં: કેરળમાં 56 સ્થળોએ દરોડા

પ્રતિબંધિત PFI પર NIA એક્શનમાં: કેરળમાં 56 સ્થળોએ દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.