વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું શુક્રવારે સવારે નિધન થયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબાના નિધનના સમાચાર સામે આવતા જ દેશભરના નેતાઓએ ટ્વિટર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
અમિત શાહે લખ્યું- માતા ગુમાવવાનું દુઃખ વિશ્વનું સૌથી મોટું દુઃખ છે, રાષ્ટ્રપતિ સહિત દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું- માતા વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક હોય છે. જેને ગુમાવવાનું દુઃખ એ બેશક દુનિયાનું સૌથી મોટું દુઃખ છે.
રાષ્ટ્રપતિએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું સો વર્ષનું સંઘર્ષમય જીવન ભારતીય આદર્શોનું પ્રતીક છે. શ્રી મોદીજીએ ‘#માતૃદેવોભવ’ની ભાવના કેળવી અને હીરાબાના મૂલ્યોને પોતાના જીવનમાં ઘડ્યા. પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. પરિવાર પ્રત્યે મારી સંવેદના!
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ: નરેન્દ્ર ભાઈ મોદીના માતા પુજ્ય માતા હીરાબાના નિધન પર ભારે દુખ થયું. હીરાબા ઉદારતા, સાદગી, અને જીવનના મુલ્યપા પ્રતીક હતી. હું પ્રાર્થના કરું છું કે ભાગવાન તેમના આત્માને શાંતિ આપે. યુપીના મુખ્યમંત્રી યોગી: ટ્વિટ કર્યું, એખ પુત્ર માટે માતા જ સમગ્ર દુનિયા હોય છે. માતાનું નિધન એ પુત્ર માટે અસહ્ય અને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ છે. પીએમ મોદીજીના પૂજ્ય માતાનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. ભગવાન શ્રી રામ દિવંગત પવિત્ર આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે.
રાહુલ ગાંધીએ લખ્યું- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા શ્રીમતી હીરા બાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. આ મુશ્કેલ સમયે, હું તેમને અને તેમના પરિવારને મારી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીઃ વડાપ્રધાન મોદીની માતાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ભગવાન દિવંગત આત્માને પાવન ચરણોમાં સ્થાન આપે. મોદીજી અને તેમના પરિવારના સભ્યો દુઃખની આ ક્ષણોમાં હિંમત આપે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે: હીરાબેન મોદીના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મોદીજીને તેમના પ્રિય માતાની ખોટ પર મોદીજી પ્રત્યે મારી દિલથી સંવેદના. આ દુ:ખની ઘડીમાં અમારી સંવાદનાઓ અને પ્રાર્થના સમગ્ર પરિવાર સાથે છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા: લખ્યું- હીરાબા જીનું સંઘર્ષમય અને સદાચારી જીવન હંમેશા પ્રેરણાદાયી છે, જેમના પ્રેમ અને અખંડિતતાએ દેશને સફળ નેતૃત્વ આપ્યું. માતાની વિદાય એ એક અપુરતી ખોટ છે, આ ખાલીપણાને ભરવું અશક્ય છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ: ટ્વીટ કર્યું – ભક્તિ, તપસ્યા અને કર્મની ત્રિવેણી. નરેન્દ્ર મોદીજી જેવા મહાન વ્યક્તિત્વનું સર્જન કરનાર માતાના ચરણોમાં નમન. આદરણીય માતા હંમેશા પ્રેરણા બની રહેશે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુઃ કહ્યું- પીએમ પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. તેમણે કહ્યું કે હીરાબાની સાથે મોદીજીનો સંબંધ અમૂલ્ય અને અવર્ણનીય છે. હીરાબાના આત્મા ને શાંતિ મળે.