Tuesday, January 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિમાચલમાં છેલ્લા 23 દિવસમાં છઠ્ઠી વાર ભૂકંપના આંચકા: મોટી આફતના એંધાણ!

ભૂકંપની દૃષ્ટિએ હિમાચલ સૌથી સંવેદનશીલ ઝોનમા

aaspassdaily by aaspassdaily
2023-01-09 11:00:48
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી છે. રાજ્યમાં રવિવારે મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 હતી.આ ભૂકંપ મધ્યરાત્રે 12.42 વાગ્યે અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર મંડી જિલ્લાના સુંદરનગર નજીક બેરકોટ ગામમાં ભૂગર્ભમાં 0.5 કિલોમીટરની ઊંડાઈએ હતું.
મંડી ઉપરાંત આસપાસના જિલ્લાઓમાં પણ ત્રણથી પાંચ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટર સુદેશ મોક્તાએ જણાવ્યું હતું કે ઓછી તીવ્રતાના કારણે ભૂકંપથી ક્યાંય નુકસાનના અહેવાલ નથી.
રાજ્યમાં છેલ્લા એક મહિનાથી સતત ભૂકંપના આંચકાના કારણે લોકો ગભરાટમાં છે. છેલ્લા 23 દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં છ વખત ભૂકંપના આંચકા આવ્યા છે. જો કે દર વખતે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે જાનમાલનું નુકસાન થયું નથી. હિમાચલ પ્રદેશ ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ ઝોન 4 અને 5માં સામેલ છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ આ પર્વતીય રાજ્યમાં મોટા ભૂકંપની આગાહી કરી છે. વર્ષ 1905માં કાંગડા અને ચંબા જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપમાં 10,000થી વધુ લોકો માર્યા ગયા હતા.

Tags: eqrthquakehimachal pradesh
Previous Post

આજથી કોલકાતામાં G-20ની પ્રથમ બેઠક: 19 દેશોના પ્રતિનિધિઓ થશે શામેલ

Next Post

ઉત્તર ભારતમાં ધુમ્મસનું સામ્રાજ્ય!, રેડ એલર્ટ જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

January 13, 2026
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે
તાજા સમાચાર

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

January 13, 2026
અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો
તાજા સમાચાર

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો

January 13, 2026
Next Post
ઉત્તર ભારતમાં ધુમ્મસનું સામ્રાજ્ય!, રેડ એલર્ટ જાહેર

ઉત્તર ભારતમાં ધુમ્મસનું સામ્રાજ્ય!, રેડ એલર્ટ જાહેર

જોશીમઠને બચાવવા તાબડતોબ કાર્યવાહી

જોશીમઠને બચાવવા તાબડતોબ કાર્યવાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.