Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગરવી ગુજરાતની સફર: આઠ દિવસ માટે રેલવેની સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેન, SOUથી દ્વારકા સુધીના થશે દર્શન

IRCTC દ્વારા 'એક ભારત શ્રેષ્ઠ ભારત' યોજના હેઠળ ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન દ્વારા ગરવી ગુજરાત યાત્રા

aaspassdaily by aaspassdaily
2023-02-06 11:32:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગૌરવવંતા અને હેરિટેજ ગુજરાતની સમગ્ર દેશમાં બોલબાલા છે. તેવામાં હવે ભારતીય કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ યોજના હેઠળ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન ચલાવશે. આ ‘ગરવી ગુજરાત’ યાત્રા 28 ફેબ્રુઆરીએ દિલ્હી સફદરજંગ સ્ટેશનથી શરૂ થશે. ભારતના વાઇબ્રન્ટ ગુજરાતના વારસાને પ્રદર્શિત કરવા માટે બનાવવામાં આવેલ છે. ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી ક્લાસ સાથેની અત્યાધુનિક ભારત ગૌરવી ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન 8 દિવસ માટે તમામ સમાવેશી પ્રવાસ માટે ચલાવવામાં આવશે.


ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન અનેક સુવિધાઓથી સજ્જ છે. પ્રવાસી ટ્રેનમાં 4 ફર્સ્ટ એસી કોચ, 2 સેકન્ડ એસી કોચ, એક સુસજ્જ પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. જેમાં એક સાથે 156 પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય યાત્રાધામો અને હેરિટેજ સ્થળો એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણ પ્રવાસના મુખ્ય આકર્ષણો હશે. મહત્વનું છે કે, અગાઉ આવી જ ટ્રેન ભારત દર્શન ટ્રેનના નામથી ચાલતી હતી. તેનું ભાડું સ્લીપર ક્લાસમાં પેસેન્જર માટે 900 રૂપિયા પ્રતિ દિવસ અને થર્ડ-એસીમાં 1500 રૂપિયા પ્રતિ દિવસ હતું. પરંતુ આ ટ્રેન એપ્રિલ 2022માં બંધ કરી દેવામાં આવી હતી. આ ટ્રેને જાન્યુઆરીથી માર્ચ 2022 સુધીમાં 16 ટ્રીપ પૂરી કરી હતી અને લગભગ 13.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
આ ટ્રેન પ્રવાસ સરકારની “એક ભારત શ્રેષ્ઠ ભારત” યોજનાની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ટુર પેકેજનું પ્રથમ સ્ટોપેજ કેવડિયા ખાતે રાખવામાં આવ્યું છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બનશે. આખી ટ્રેન 8 દિવસની મુસાફરી દરમિયાન અંદાજે 3500 કિલોમીટરનું અંતર કાપશે. આ પ્રવાસી ટ્રેનમાં 4 ફર્સ્ટ એસી કોચ, 2 સેકન્ડ એસી કોચ, એક સુસજ્જ પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. તે 156 પ્રવાસીઓને લઈ જઈ શકે છે. IRCTC એ ગ્રાહકોને EMI ચુકવણી વિકલ્પો પ્રદાન કરવા માટે પેમેન્ટ ગેટવે સાથે પણ જોડાણ કર્યું છે.
ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનની રજૂઆત સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની “દેખો અપના દેશ” પહેલને અનુરૂપ છે. બીજી બાજુ જો આપણે આ પ્રવાસના પેકેજ વિશે વાત કરીએ તો એસી 2 ટાયર માટે વ્યક્તિ દીઠ 52250/-, એસી 1 (કેબિન) માટે વ્યક્તિ દીઠ રૂ. 67140 અને એસી 1 (કૂપ) માટે વ્યક્તિ દીઠ રૂ. 77400 ચૂકવવા પડશે. ). આ પેકેજ સંબંધિત વર્ગમાં ટ્રેનની મુસાફરી, એસી હોટલમાં રાત્રિ રોકાણ, તમામ ભોજન (ફક્ત શાકાહારી) અને જોવાલાયક સ્થળોને આવરી લેશે. આ સાથે બસો દ્વારા જોવાલાયક સ્થળોનો પ્રવાસ, મુસાફરી વીમો અને માર્ગદર્શકોની સેવાઓ વગેરેને પણ આ પેકેજમાં આવરી લેવામાં આવશે.
કયા કયા સ્થળોને આવરી લેવાશે ?
સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણ જેવા ગુજરાતના મુખ્ય યાત્રાધામો અને હેરિટેજ સ્થળોની મુલાકાત કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ હશે. આ ઉપરાંત યાત્રા દરમિયાન મુસાફરોને ચાંપાનેર આર્કિયોલોજિકલ પાર્ક, અડાલજ સ્ટેપ વેલ, અમદાવાદમાં અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, મોઢેરા સૂર્ય મંદિર અને પાટણમાં રાણી કી વાવના પ્રવાસે લઈ જવામાં આવશે. ધાર્મિક સ્થળોની વાત કરીએ તો સોમનાથ જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાનો 8 દિવસના પ્રવાસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેવડિયા અને અમદાવાદની હોટલોમાં બે રાત્રિ રોકાણ કરવામાં આવશે.

 

 

Tags: gujarat yatra trainirctc
Previous Post

પાકિસ્તાનમાં ક્રિકેટ સ્ટેડીયમ બહાર બોમ્બ વિસ્ફોટ

Next Post

UPDATE : ભૂકંપે તુર્કી-સિરિયામાં ભારે તબાહી મચાવી: 100થી વધુના દર્દનાક મોત

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
UPDATE : ભૂકંપે તુર્કી-સિરિયામાં ભારે તબાહી મચાવી: 100થી વધુના દર્દનાક મોત

UPDATE : ભૂકંપે તુર્કી-સિરિયામાં ભારે તબાહી મચાવી: 100થી વધુના દર્દનાક મોત

ગ્રેમી એવોર્ડમાં ભારતનું ગૌરવઃ રિકી કેઝે જીત્યો એવોર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.