Sunday, February 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કોર્પોરેશનનો ઢોરના ડબ્બાના પતરા ખેસવી પશુઓ છોડાવી જવા પ્રયાસ, પથ્થરમારો થયાની પણ ચર્ચા

અખીલેશ સર્કલ પાસે આવેલ ઢોરના ડબ્બા પર મોડી રાત્રે ચારથી પાંચ શખ્સોની ટોળકીએ પથ્થરમારો કર્યાં બાદ પતરા ખેસવી પશુઓ છોડાવી જવા કર્યો પ્રયાસ ઃ ચોકીદારોએ ટપારતા શખ્સો ભાગી છુટ્યા

aaspassdaily by aaspassdaily
2023-02-11 13:58:47
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરમાં રખડતા ઢોર પાંજરે પુરવા કોર્પોરેશને કડક વલણ દાખવ્યું છે ત્યારે પકડાયેલા પશુઓને યેનકેન પ્રકારે છોડાવી લેવા પણ પેતરા થઇ રહ્યા છે. લોકમુખે ચર્ચાતી વિગત મુજબ ઢોરના ડબ્બેથી પશુઓને છોડાવી જવાના પ્રયાસોની ઘટના એકલ-દોકલ નથી ! ગઇકાલે ગુરૂવારે પણ વધુ એક વખત આવો બનાવ બન્યો હતો આ સાથે પથ્થરમારો કરાયાની પણ લોકમુખે ચર્ચા છે. જા કે, સત્તાવાર સમર્થન મળતું નથી પરંતુ અખીલેશ સર્કલમાં આવેલ ઢોરના ડબ્બાના પતરા ખેસવી પશુ છોડાવી જવા પ્રયાસ કરાયો હોવાની વાતને કમિશનરે સમર્થન આપ્યું હતું.


સુત્રોથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના અખીલેશ સર્કલ નજીક ઢોરના ડબ્બામાં પશુઓને રાખવામાં આવ્યા છે જેમાં ગત રાત્રિના સુમારે ચાર-પાંચ લોકોએ આવીને પ્રથમ પથ્થરમારો કર્યો હતો જેથી પશુઓ ડબ્બામાં એકબાજુ એકત્ર થઇ જાય. બાદમાં બે પતરા ખેસવી પશુઓને તેમાંથી કાઢી છોડાવી જવા પ્રયાસ થયો હતો. જા કે, ફરજ પરના ચોકીદારો સતર્ક થઇ જતા અને શખ્સોને ટપારતા તેઓ સ્થળ છોડી ગયેલ. દરમિયાનમાં મ્યુ. કમિશનર ઉપાધ્યાયે આ વાતને સમર્થન આપી જણાવ્યું હતું કે, આવી ઘટના રોકવા માટે ઢોરના ડબ્બાને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા સુચના આપી દીધી છે અને કામગીરી અંતિમ તબક્કામાં છે. જા કે, પથ્થરમારો થયાની ઘટના અંગે પોતાને કોઇ જાણ નહીં હોવાનું કહ્યું હતું.

Tags: Akhilesh circlebhavnagarDhor dabo
Previous Post

ઘોઘાસર્કલ પાસેના મકાનમાં બે સ્કૂટરમાં આગ ભભૂકતા દોડધામ

Next Post

વીરપુરના સ્મશાન પાસે જુગાર રમતા એક ઝડપાયો,પાંચ ફરાર

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
Next Post
તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

વીરપુરના સ્મશાન પાસે જુગાર રમતા એક ઝડપાયો,પાંચ ફરાર

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

ટીંબીના પરિવાર સાથે ઝપાઝપી કરી કુટુંબીઓએ ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.