અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનું સૂચન કર્યું છે. કોર્ટે કહ્યું, “ગાય ભારતીય સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. એટલા માટે ગાયોની રક્ષાને હિન્દુઓના મૂળભૂત અધિકારમાં સામેલ કરવી જોઈએ.” કોર્ટે કહ્યું, “અમે આશા રાખીએ છીએ કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવા અને ગાયને રક્ષિત રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવા માટે યોગ્ય નિર્ણય લેશે.”
ગૌહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ શમીમ અહેમદે 14 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ પ્રિવેન્શન ઑફ કાઉ સ્લોટર એક્ટ, 1955 હેઠળ એક વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું, “અમે એક ધર્મનિરપેક્ષ દેશમાં રહીએ છીએ અને તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ.” જસ્ટિસ શમીમ અહેમદે કહ્યું, “હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે ગાય દૈવી અને કુદરતી પરોપકારની પ્રતિનિધિ છે, તેથી તેનું રક્ષણ અને સન્માન કરવું જોઈએ.” જણાવી દઈએ કે બારાબંકીના રહેવાસી અરજદાર મોહમ્મદ અબ્દુલ ખાલિકે પોતાની અરજીમાં દલીલ કરી હતી કે પોલીસે કોઈપણ પુરાવા વિના તેમની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેથી, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેમની સામે ચાલી રહેલી કાર્યવાહીને રદ કરવી જોઈએ.
અરજીને ફગાવી દેતાં ખંડપીઠે કહ્યું હતું કે, “રેકર્ડ પરના તથ્યો પરથી, અરજદાર સામે પ્રથમ દૃષ્ટિએ કેસ કરવામાં આવે છે.” આ કેસમાં જસ્ટિસ શમીમ અહેમદે કહ્યું, “હિંદુ ધર્મમાં ગાયને દૈવી તરીકે વર્ણવવામાં આવી છે. દંતકથા અનુસાર, દેવતાઓ અને દાનવો વચ્ચેના સમુદ્ર મંથનથી ગાયની ઉત્પત્તિ થઈ હતી. તેને સોંપવામાં આવી હતી.” ન્યાયાધીશે વધુમાં ઉમેર્યું, “ગાયને વિવિધ દેવતાઓ સાથે પણ સાંકળવામાં આવી છે. ખાસ કરીને ભગવાન શિવ, ભગવાન ઈન્દ્ર કામધેનુ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ભગવાન કૃષ્ણ તેમની યુવાનીમાં ગાયો ચરાવતા હતા. જે પણ ગાય ને મારે છે તેમને નર્ક જ ભોગવવાનું રહેશે.”
			
                                
                                



