રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત હરિયાણાના કરનાલ પહોંચ્યા હતા. અહીં તેમણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારતમાં અંગ્રેજાેના શાસન પહેલા આપણા દેશની શિક્ષણ વ્યવસ્થામાં ૭૦ ટકા વસ્તી શિક્ષિત હતી અને અહીં કોઈ બેરોજગારી નહોતી. તેમણે વધુમાં કહ્યું કે ‘તે જ સમયે ઈંગ્લેન્ડમાં માત્ર ૧૭ ટકા લોકો જ શિક્ષિત હતા. ભારતમાં આવ્યા પછી, અંગ્રેજાેએ આપણી શિક્ષણ પ્રણાલી એટલે કે ૭૦ ટકા લોકોને શિક્ષિત રાખવાની પદ્ધતિને કબાડ કરી નાખી. ત્યારબાદ આપણી શિક્ષણ પ્રણાલીને પોતાને ત્યાં લઇ ગયા અને તેમની શિક્ષણ પ્રણાલીને ભારતમાં લાવી.