દેશમાં કોરોનાની સાથે વધુ પાંચ સંક્રમણનો ફેલાવો થઈ રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પુષ્ટિ કરી છે કે 30થી વધુ કેન્દ્રો પર દર્દીઓના નમૂનાઓનું પરીક્ષણ કર્યા પછી કોરોના, ઈન્ફલ્યુએન્ઝા A અને B સિવાય શ્વસન તંત્ર સંબંધિત વાયરસ પણ ફેલાયાના પુરાવા મળ્યા છે.
આ તમામ ચેપી રોગોના લક્ષણો પણ સમાન છે. આવી સ્થિતિમાં, જો કોઈને ત્રણ કે ચાર દિવસથી વધુ સમય સુધી કોઈ લક્ષણો હોય તો તેણે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ICMRના ચેપી રોગો વિભાગના વડા ડૉ. નિવેદિતા ગુપ્તા કહે છે કે દેશમાં 30 અલગ-અલગ સ્થળોએ એક સર્વેલન્સ નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે જ્યાં દર્દીઓના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે