Saturday, April 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીના દ્રારકામાં BJP નેતાસુરેન્દ્ર મટિયાલાની હત્યા

બાઇક પર આવેલા બદમાશોએ ઓફિસમાં ઘૂસી કર્યું ફાયરિંગ

cradmin by cradmin
2023-04-15 10:28:20
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દિલ્હીના દ્વારકા જિલ્લાના મટિયાલા વિસ્તારમાં BJP કિસાન મોરચાના નેતા સુરેન્દ્ર મટિયાલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવતા હડકમાપ મચી ગયો છે. જો પોલીસ સૂત્રોનું માનીએ તો સુરેન્દ્ર મટિયાલાને 6 ગોળી વાગી હતી. આ પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પણ ત્યાં તેમનું મોત થયું છે. ગઈકાલે સાંજનાં સમયે સુરેન્દ્ર મટિયાલા પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો અને તેમનું મોત થયું.
દ્વારકા જિલ્લાના મટિયાલા રોડ પર સુરેન્દ્ર મટિયાલા પર અજાણ્યા બાઇક સવાર બદમાશોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બિંદાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. સુરેન્દ્ર મટિયાલા નજફગઢ જિલ્લા કિસાન મોરચાના અધ્યક્ષ હતા અને કોર્પોરેટરની ચૂંટણી પણ લડ્યા હતા. જોકે હાલ પોલીસ આ ગોળીબાર મામલે તપાસ કરી રહી છે. આ મામલામાં દ્વારકા જિલ્લાના ડીસીપી એમ હર્ષવર્ધને જણાવ્યું કે, સ્થળ પર કેસની તપાસમાં જાણવા મળ્યું કે, સુરેન્દ્ર મટિયાલાને ઘણી વખત ગોળી વાગી હતી. તેમને તબીબે મૃત જાહેર કર્યો છે.
દ્વારકા જિલ્લાના ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, સુરેન્દ્ર મટિયાલા ઓફિસમાં હતા ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી હતી. તપાસમાં જે પણ વધુ માહિતી બહાર આવશે તે તુરંત અપડેટ કરવામાં આવશે. પોલીસની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. સુરેન્દ્ર મટિયાલાની હત્યા શા માટે કરવામાં આવી, આ મામલે તપાસ ચાલી રહી છે. પોલીસ સુરેન્દ્ર મટિયાલાની હત્યાની તમામ એંગલથી તપાસ કરી રહી છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હત્યા બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ સાથે જ સુરેન્દ્ર મટિયાલાની ઓફિસ બહાર ભીડ એકઠી થઈ ગઈ. પોલીસે સ્થળને સીલ કરી દીધું છે.

Previous Post

મહારાષ્ટ્રમાં બસ ખીણમાં ખાબકતા 8 લોકોના મોત, 30થી વધુ ઘાયલ

Next Post

સુરતમાં આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટર ભાજપમાં

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા – ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ૬૦૦થી વધુ શાળાઓ તબાહ

April 4, 2026
3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

April 4, 2026
Next Post
સુરતમાં આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટર ભાજપમાં

સુરતમાં આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટર ભાજપમાં

1 જૂલાઈથી શરુ થશે અમરનાથ યાત્રા, 17 એપ્રિલથી રજીસ્ટ્રેશન

1 જૂલાઈથી શરુ થશે અમરનાથ યાત્રા, 17 એપ્રિલથી રજીસ્ટ્રેશન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.