Cyber Fraud: દેશમાં જેમ જેમ ડિજિટલ કામ વધી રહ્યું છે. તેવી જ રીતે, પડકારો પણ ઓછા નથી થઈ રહ્યા. હવે સાયબર ગુનેગારોએ છેતરપિંડીનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. અગાઉ બેંક ખાતા ધારકોને નિશાન બનાવવામાં આવતા હતા. પરંતુ હવે કરદાતાઓના ખાતા ખાલી કરવામાં આવી રહ્યા છે, આઈટીઆર ફાઈલ કરવાના નામે છેતરપિંડી કરવાની તદ્દન નવી પદ્ધતિ શોધાઈ છે. સાયબર સેલ અને ગૃહ મંત્રાલયે સાયબર ગુનેગારોને લઈને એલર્ટ જાહેર કરી દીધું છે. ક્રેડિટ કાર્ડ અને બેંક અપડેટના નામે પણ ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.
ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા દબાણ
ડિજિટલી ઠગ્સે આવા ખાતાધારકોની યાદી તૈયાર કરી છે, જેમણે હજુ સુધી ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી. લોકો પર કોલ કરીને ITR ફાઈલ કરવા માટે દબાણ કરવામાં આવે છે. આ દરમિયાન, ગોપનીય માહિતી મેળવ્યા પછી બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે. મળતી માહિતી મુજબ, સાયબર ગુનેગારોએ અત્યાર સુધીમાં હજારો લોકોને નિશાન બનાવ્યા છે. સ્કેમર્સ ખાતાધારકોને તેમના પેન અને આધાર (PAN and AADHAR) ડેટા અપડેટ કરવા વિનંતી કરતા મેસેજ પણ મોકલી રહ્યા છે. તેમ ન કરવા પર તેઓ એકાઉન્ટ બ્લોક કરવાની ધમકી આપે છે.
લિંકને ક્લિક કરશો નહીં
સાયબર સેલ પાસેથી મળેલી માહિતી મુજબ ડિજીટલ ઠગ ગ્રાહકોને જે મેસેજ મોકલે છે. તેમાં એન્ડ્રોઇડ પેકેજ (APK) ફાઇલની લિંક પણ હોય છે. જો તમે ભૂલથી પણ આ લિંક પર ક્લિક કરો છો, તો તમારી માહિતી આપોઆપ તેમના સુધી પહોંચી જાય છે. તેના પછી, આ ગુનેગાર જે પણ ખાતામાં વધુ રૂપિયા હોય છે, પહેલા તેને ખાલી કરે છે. નિષ્ણાતોના મતે, રિસીવરે તેમનો લોગિન પાસવર્ડ, ડેબિટ કાર્ડ નંબર અને એટીએમ પિન પણ શેર કરવાનું ટાળવું જોઈએ. નહીંતર આ હેકર્સ તમને નુકસાન પહોંચાડી શકે છે.






