Tuesday, December 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પુંછ હુમલામાં 30 લોકોની પુછપરછ માટે ધરપકડ

સેનાની મોટી કાર્યવાહી; હાઈએલર્ટની વચ્ચે સર્ચ ઓપરેશન શરુ

aaspassdaily by aaspassdaily
2023-04-24 10:31:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

જમ્મુ કાશ્મીરના પુંછમાં સેના એક ટ્રક પર હુમલો કરવામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે સેનાએ સર્ચ ઓપરેશન શરુ કર્યું છે અને હવે અત્યાર સુધીમાં લગભગ 30 લોકોની પુછપરછ માટે ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી છે. આ હુમલામાં સેનાના પાંચ જવાનો શહીદ થઈ ગયા હતા.
સેનાના ઉતત્રી કમાનના કમાંડર લેફ્ટીનેંન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રવિવારે કહ્યું કે, જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના ભાટા ધુરિયાન વિસ્તારમાં ગુરુવારે સેનાએ એક ટ્રક પર ઘાતક હુમલો કરવા માટે જવાબદાર આતંકવાદીઓ વિરુદ્ધ જરુરી કાર્યવાહી કરી હતી. તો વળી હુમલા બાદ રાષ્ટ્રીય રાજમાર્ગના જમ્મુ-પુંછ વિસ્તારને રવિવારે વાહનો માટે ખોલી દેવામાં આવ્યો હતો.
સેનાના ઉત્તરી કમાને પોતાના સત્તાવાર ટ્વિટર હૈંડલ દ્વારા ઉધમપુરમાં આવેલ કમાન હોસ્પિટલમાં લેફ્ટિનેન્ટ દ્વિવેદીની મુલાકાત શેર કરી, જ્યાં તેમણે આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા જવાનો સાથે વાતચીત કરી હતી. આ ટ્વિટની સાથે બે તસ્વીર શેર કરી હતી. સેનાના ટ્રક પર કરવામા આવેલા હુમલામાં પાંચ જવાનો શહીદ થઈ ગયા હતા, જ્યારે એક અન્ય જવાન ઘાયલ થયો હતો. હુમલાના સમયે ટ્રક ઈફ્તાર માટે નજીકના ગામમાં ખાવા-પીવાની સામગ્રી લઈને જઈ રહ્યો હતો. સેનાના ઉતરી કમાનના કમાંડરે શનિવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
ભાટા ધુરિયાન જંગલનો વિસ્તાર છે અને આતંકવાદીઓ દ્વારા નિયંત્રણ રેખાને પારથી ઘુસણખોરી કરવા માટે પ્રાથમિકતા આપતો વિસ્તાર છે, કેમ કે, આ વિસ્તાર ગાઢ જંગલો અને ગુફાઓથી ઘેરાયેલો છે અને ભૂસ્થલીય બનાવટ પણ તેને અનુકૂળ છે. દ્વિવેદીએ સીમાવર્તી વિસ્તારની સુરક્ષા અને આતંકવાદીઓને મારવા માટે ચલાવવામાં આવતા અભિયાનની સમીક્ષા કરી હતી. ઉત્તરી કમાને ટ્વિટ કરીને જણાવ્યું કે, દ્વિવેદીએ અત્યાર સુધીમાં કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી આપવામાં આવી છે. તેમણે સૈનિકોને પોતાના સંકલ્પ પર અડગ રહેવા માટે આહ્વાન કર્યું છે.

Previous Post

નરોડા ગામ હત્યાકાંડ: હવે સ્પેશ્યલ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાશે

Next Post

કોહલી સહિત ટીમ જ્યાં રોકાઈ હતી તે હોટેલમાંથી ત્રણ હિસ્ટ્રિશીટર પકડાયા !

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં સાત લોકોના મોત
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં સાત લોકોના મોત

December 30, 2025
બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન

December 30, 2025
રશિયામાં પુતિનના આવાસ પર ડ્રોન હુમલાના દાવા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ
આંતરરાષ્ટ્રીય

રશિયામાં પુતિનના આવાસ પર ડ્રોન હુમલાના દાવા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ

December 30, 2025
Next Post
કોહલી સહિત ટીમ જ્યાં રોકાઈ હતી તે હોટેલમાંથી ત્રણ હિસ્ટ્રિશીટર પકડાયા !

કોહલી સહિત ટીમ જ્યાં રોકાઈ હતી તે હોટેલમાંથી ત્રણ હિસ્ટ્રિશીટર પકડાયા !

નશામુક્તિ કેન્દ્રોનો ઉપયોગ કરી પ્રાઇવેટ આર્મી બનાવવા માંગતો હતો અમૃતપાલ

અમૃતપાલસિંહ પર NSA: ISI પંજાબ સળગાવવા તેને ‘પ્યાદુ’ બનાવવા માંગતી હતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.