Tuesday, December 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

'હર હર મહાદેવ'ના જયકારા સાથે ભક્તો ઝૂમી ઉઠ્યાં

aaspassdaily by aaspassdaily
2023-04-25 10:04:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

બાબા કેદારનાથ મહાદેવના દર્શનની આતુરતાનો આજે અંત આવ્યો છે. કારણે કે આજે ખુલી ગયા છે, બાબાના મંદિરના કપાટ. કેદારનાથ ધામના કપાટ આજે મંગળવારે સવારે 6.20 મિનિટે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા. કપાટોદ્ઘાટનના શુભ અવસર પર કેદારનાથ મંદિરને 35 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. લગભગ આઠ હજાર જેટલા ભક્તો કપાટોદ્ઘાટનના શુભ મુહૂર્તના સાક્ષી બન્યા. બાબા કેદારનાથના મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
સવારે 5 વાગ્યાથી જ કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આ પછી વહીવટી તંત્ર દ્વારા રાવલ અને શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પદાધિકારીઓની હાજરીમાં મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. સવારે 6.20 કલાકે કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ભક્તો ઢોલ-નગારાંના તાલે ભગવાન શિવની ભક્તિમાં મગ્ન જોવા મળ્યા હતા. ભક્તો ભોલેનાથ કી જય, હર હર મહાદેવ જેવા નારા શ્રદ્ધાપૂર્વક લગાવતા જોવા મળ્યા હતા.

કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ મંદિરના મુખ્ય પૂજારી જગદગુરુ રાવલ ભીમ શંકર લિંગ શિવચાર્યએ ગર્ભગૃહમાં ભગવાન કેદારનાથની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ તકે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. તેમણે બાબાના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ લીધા હતા.
બાબા કેદારનાથની પંચમુખી ચલ વિગ્રહ ડોલી ગઈકાલે સોમવારે જ કેદારનાથધામમાં પહોચી ગઈ હતી. બાબાના મંદિરને 35 કવિંટલ ફુલોથી શણગારવામાં આવ્યું છે. થોડી થોડી વારે બરફની વર્ષા થઈ રહી છે. તો પણ કપાટ ખુલવાની સાક્ષી રૂપે અડગ મને શ્રદ્ધાળુઓ બાબાના ધામમાં પહોંચી ગયા હતા.

29 એપ્રિલ સુધી બરફ વર્ષાની આગાહી


હવામાન વિભાગે 29 એપ્રિલ સુધી બરફવર્ષાની આગાહી આપવામાં આવી હતી. તેના કારણે ઉત્તરાખંડ સરકાર દ્વારા કેદારનાથ માટે નોંધણીની પ્રકિયા 30 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા ઋષિકેશ, ગૌરીકુંડ, ગુપ્તકાશી અને સોનપ્રયાગના યાત્રિકોને ત્યાજ રોકાવાનું કહેવામાં આવ્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચારધામ યાત્રાને લઈ જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે શ્રદ્ધાળુ વધારે આવશે. આવનાર તમામ શ્રદ્ઘાળુ માટે જરૂરી તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. એક બાજુ બાબાના કપાટ ખુલ્યા છે અને બીજી તરફ ખરાબ હવામાનને કારણે પોલીસ યાત્રાળુઓને ઋષિકેશમાં જ રોકાવવા જણાવામાં આવી રહ્યું છે. કેદારનાથ મહાદેવના કપાટ ખુલતાની સાથે ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે.

Previous Post

ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં 17 સ્થળોએ NIAના દરોડા

Next Post

ટીપ્સ પર રોકાણ કરતા નહી, નિયમન કરવા કે નિયંત્રણ મુકવાની સરકારની કોઈ યોજના નથી. : સિતારામન

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં સાત લોકોના મોત
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં સાત લોકોના મોત

December 30, 2025
બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન

December 30, 2025
રશિયામાં પુતિનના આવાસ પર ડ્રોન હુમલાના દાવા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ
આંતરરાષ્ટ્રીય

રશિયામાં પુતિનના આવાસ પર ડ્રોન હુમલાના દાવા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ

December 30, 2025
Next Post
ભારતનું અર્થતત્રં મુશ્કેલીમાં મુકાઈ શકે: નિર્મલા

ટીપ્સ પર રોકાણ કરતા નહી, નિયમન કરવા કે નિયંત્રણ મુકવાની સરકારની કોઈ યોજના નથી. : સિતારામન

ભારતનો સનાતન ધર્મ એ રાષ્ટ્રીય ધર્મ

'CM યોગીને ખતમ કરી દઇશ', ધમકી મળતા ATS સહિત તપાસ એજન્સીઓ દોડતી થઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.