દેશમાં શેરબજારમાં અનિશ્ચીતતાની સ્થિતિ વચ્ચે છેલ્લા ચાર વર્ષમાં ફયુચર એન્ડ ઓપ્શનમાં રોકાણ કરનાર રીટેલ ઈન્વેસ્ટરોએ 10માંથી 9 ખોટ ખાય છે અને તેથી જ હવે છેલ્લા નવ માસમાં રીટેલ ટ્રેડીંગ કરનારની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. નાના રોકાણકારો ખાસ કરીને તેના બ્રોકર્સ કે પછી ટીવી ચેનલો કે સોશ્યલ મીડીયામાં જે ઈનફલુએન્સરની સલાહ પર જતા હોય છે તે સમયે દેશમાં શેરબજારમાં રોકાણથી અનેક ઉત્પાદનો સેવામાં સલાહ આપતા સોશ્યલ મીડીયા પરના ઈન્ફલુએન્સર પર
નાણામંત્રી નિર્મલા સીતારામને બેંગ્લોરમાં થિંકર્સ ફોરમના એક કાર્યક્રમમાં સંબોધન કરતા આ પ્રકારના ઈન્ફલુએંસરની સલાહ પર શેરબજારમાં રોકાણ નહી કરવા સલાહ આપી હતી. નાણામંત્રીએ જણાવ્યું હતું કે ફાયનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટ પર પોતાની સલાહ આપનારા ઈન્ફલુએંસરની સલાહ માનતા પર્વે સાવધાની જરૂરી છે. તેઓએ જણાવ્યું કે 10માંથી 3-4 લોકોજ સાચી સલાહ આપનારા છે અને બાકીના લોકો એવા છે જે કોઈને કોઈના પ્રભાવમાં આ પ્રકારની સલાહ આપતા હોય છે અને તેથી આ પ્રકારની કોઈપણ સલાહને કાઉન્ટર ચેક કરવી જરૂરી છે અને ત્યારબાદ જ નિર્ણય લેવાવો જોઈએ. નિર્મલા સીતારામને કહ્યું કે તમારી કમાણી તમારી મહેનતના નાણા સુરક્ષિત રહે તે જરૂરી છે
અને તેમાં આ પ્રકારની સલાહ આપનારને પ્રશ્નો પણ પુછવા જોઈએ. તેઓએ આ પ્રકારના સોશ્યલ મીડીયા કે ટીવી પર આવતા ઈન્ફલુએંસર પર કોઈ પ્રકારના નિયંત્રણ કે તેમને નિયમન હેઠળ લાવવા અંગે કોઈ પ્રસ્તાવ હોવાનો ઈન્કાર કર્યો હતો. હાલમાંજ ‘સેબી’ તરફથી આ પ્રકારના રેગ્યુલેશનથી જરૂર હોવાનો અભિગમ વ્યક્ત કરાયો હતો. તા.25 જાન્યુ.ના સેબીએ પ્રસિદ્ધ કરેલા એક અભ્યાસમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2018-19 અને 2021/22 વચ્ચે ભારતમાં ફયુચર એન્ડ ઓપ્શન માર્કેટમાં રીટેલ ઈન્વેસ્ટર્સમાં 500%ની વૃદ્ધિ થઈ છે પણ તે માર્કેટમાંથી 10માંથી 9 લોકો ખોટમાંજ રહે છે.પોન્સી એપ પર સરકારની નજર છે અને કાર્યવાહી પણ કરે છે.






