ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, ચક્રવાત બિપરજોય ગુરુવારે સાંજે ગુજરાતના કચ્છ જિલ્લામાં જખૌ બંદર નજીક અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા તરીકે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે, તે ગુરુવારે (15 જૂન) સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક પહોંચશે. તે સમયે પવનની મહત્તમ ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
અમદાવાદ IMDના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ચક્રવાત ગુજરાતના કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે પસાર થવાની સંભાવના છે. તે ગુરુવારે સાંજે જખૌ બંદર પરથી પસાર થશે. IMD એ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. કચ્છ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ માટે ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે.
ચક્રવાત બિપરજોયની સૌથી વધુ અસર ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં જોવા મળશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે 15 જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની સંભાવના છે. ચક્રવાત તે જ દિવસે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. હવામાન વિભાગે 15 જૂનની સવાર સુધી પવનની ઝડપ 120-130 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની ચેતવણી આપી હતી. તે 145 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે તેવી શક્યતા છે.



