દર વર્ષે અષાઢી બીજના દિવસે પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. પુરી રથયાત્રા માટે લીમડાના પવિત્ર અખંડ લાકડામાંથી રથ બનાવવામાં આવે છે, રથના નિર્માણમાં કોઈપણ પ્રકારના ખીલા, કાંટા અને ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ચાર પવિત્ર સ્થાનોમાંથી એક પુરીમાં જગન્નાથ ભગવાન કૃષ્ણના રૂપમાં બિરાજમાન છે. અહીં અષાઢ મહિનામાં બીજના દિવસે તેમની રથયાત્રા કાઢવામાં આવે છે. કેટલાક તથ્યો અનુસાર રથયાત્રા 500 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી એવી માન્યતા છે. પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ થઈ ચૂકી છે. આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. જે બીજા દિવસે સાંજે 7 વાગ્યે સમાપ્ત થશે.
પુરીની રથયાત્રા તેની ભવ્યતા અને મહિમા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આખું વર્ષ ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. પુરીની રથયાત્રામાં દેશ-વિદેશના લોકો ભારે ઉત્સાહથી સામેલ થાય છે. પુરીના ભગવાન જગન્નાથ ધામની ગણના પ્રસિદ્ધ ચાર ધામોમાં થાય છે.
ભગવાન જગન્નાથના રથમાં 16 પૈડાં હોય છે. તેને સામાન્ય રીતે 45 ફૂટ ઉંચા રાખવામાં આવે છે. રથ બનાવવા માટે ખાસ પ્રકારનું લાકડું એટલે કે લીમડાના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. જંગલમાં જઈને લીમડાના વૃક્ષોની સૌથી પહેલા મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી સોનાની કુહાડીથી વૃક્ષોને કાપવામાં આવે છે. ત્રણેય રથ બનાવવા માટે કુલ 884 વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે આ રથ બનાવવામાં ખીલી કે અન્ય ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી.
દર 12 વર્ષે બદલવામાં આવે છે મૂર્તિ
પુરીના જગન્નાથ મંદિરમાં દર 12 વર્ષે મૂર્તિ બદલવાની પરંપરા છે. જ્યારે અહીં મૂર્તિ બદલવામાં આવે છે. તે સમયે ખૂબ જ મુશ્કેલ વિધિ અપનાવવામાં આવે છે. જૂની મૂર્તિને કાઢીને નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. નવી મૂર્તિના સ્થાપન સમયે ત્યાં ચારેબાજુ અંધારું કરી દેવામાં આવે છે. કોઈ કોઈને જોઈ શકતું નથી અને જે પૂજારીઓ મૂર્તિની સ્થાપના કરે છે, તે સમયે તેમની આંખો પર પણ પટ્ટી બાંધવામાં આવે છે. આ પ્રક્રિયાને જોવી અશુભ માનવામાં આવે છે.





