ઓડિશાના ગંજમ જિલ્લામાં ગઈકાલે રાત્રે બસ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા અને 8 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને એમકેસીએચ મેડિકલ કોલેજ, બેરહામપુરમાં દાખલ કરવામાં આવ્યા છે. રાયગડાથી ભુવનેશ્વર જઈ રહેલી બસ દિગપહાંડીમાં ખેમુંડી કોલેજ પાસે સરકારી બસ સાથે અથડાઈ હતી.
ઘટના અંગે એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઘાયલોને નજીકની MKCG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાંના ઘણા ઘાયલોની હાલત નાજુક છે.ગંજમના ડીએમ દિવ્યા જ્યોતિ પરિદાએ જણાવ્યું હતું કે, બે બસો અથડાયા હતા, જેમાં 10 લોકોના મોત થયા હતા. ઘાયલોને તાત્કાલિક MKCG મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. કેસની તપાસ ચાલી રહી છે.” ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
આ ગમખ્વાર અકસ્માત પર ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારને ત્રણ-ત્રણ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.






