કેન્દ્ર સરકારે રજિસ્ટ્રાર જનરલના કાર્યાલયને દેશમાં જન્મ અને મૃત્યુાના રજિસ્ટ્રેશન વખતે આધાર પ્રમાણીકરણ કરવાની મંજૂરી આપી દીધી છે. જો કે આવા રજિસ્ટ્રેરશન માટે આધાર જરૂરી નહીં હોય. ૨૭ જૂનના રોજ પ્રકાશિત એક નોટિફિકેશનમાં કહેવાયું છે કે ઈલેક્ટ્રો નિક્સર અને ઈન્ફો ર્મેશન ટેક્નોાલોજી મંત્રાલયે આરજીઆઈ કાર્યાલયને જન્મો અને મૃત્યુંના રજિસ્ટ્રેરશન દરમિયાન પ્રદાન કરાયેલી ઓળખ વિગતોને પ્રમાણિત કરવા માટે આધાર ડેટાબેસના ઉપયોગની મંજૂરી આપી દીધી છે.
જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રે શન અધિનિયમ ૧૯૬૯માં કહેવાયું છે કે નિયુક્ત રજિસ્ટ્રારને રિપોર્ટિંગ ફોર્મ જન્મ કે મૃત્યુમાં માંગવામાં આવેલી અન્યત વિગતોની સાથે એકત્ર કરાયેલા આધાર નંબરના સત્યાપન માટે સ્વૈચ્છિક આધાર પર હા કે નહીં આધાર પ્રમાણીકરણ કરવાની મંજૂરી આપવામાં આવશે. મામલો જન્મના મામલે બાળક, માતા પિતા અને સૂચના આપનારાની ઓળખ સ્થાાપિત કરવાના ઉદ્દેશ્યથી હોઈ શકે છે અને જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન દરમિયાન પ્રદાન કરાયેલા મામલામાં માતા-પિતા, પતિ કે પત્ની અને સૂચના આપનારાની ઓળખ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી હોઈ શકે છે.
રાજય સરકાર અને કેન્દ્રા શાસિત પ્રદેશ પ્રશાસન આધાર પ્રમાણીકરણના ઉપયોગ સંબંધમાં મંત્રાલય દ્વારા નિર્ધારિત દિશાનિર્દેશોનું પાલન કરશે. વર્ષ ૨૦૨૦માં મંત્રાલયે નિયમોને અધિસૂચિત કર્યા જેમાં કહેવાયું કે કેન્દ્ર સરકાર સુશાસન, જાહેર ધનના ફલોને રોકવા અને જીવનમાં સરળતા વધારવા માટે સંસ્થાાઓને ભલામણ કરીને આધાર ઓથોન્ટીશકેશનની મંજૂરી આપી શકે છે.





