વિરોધ પક્ષોની મહત્વની બેઠક હવે 14 જુલાઈના રોજ યોજાશે. આ અગાઉ આ બેઠક 10 કે 12 જુલાઈએ થવાની હતી. હાલમાં આ બેઠક માટે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની પસંદગી કરવામાં આવી છે. સુત્રોમાંથી મળતી જાણકારી મુજબ આ બેઠક પણ શિમલાના બદલે જયપુરમાં થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો બેઠકના સ્થળ અંગે હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોંગ્રેસ પાર્ટી આ બેઠકનું નેતૃત્વ કરશે. હિમાચલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહે દાવો કર્યો હતો કે વિરોધ પક્ષોની આ સામાન્ય બેઠક આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં જીતનો પાયો નાખશે. દેશમાં 1998થી 2003 સુધી NDAની સરકાર હતી, ત્યારબાદ NDAને સત્તા પરથી હટાવવા માટે શિમલામાં કોંગ્રેસ ચિંતન શિબિર યોજવામાં આવી હતી જેનો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો.




