સાબરમતી નદીમાં શહેરીજનો રીવર ક્રુઝ/ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણી શકે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થશે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તા. 2 જુલાઈ, રવિવારના સવારે સાબરમતી રિવર ક્રુઝ/ફ્લોટિંગ રેસ્ટોરેન્ટનું અમિત શાહ વર્ચ્યુઅલી ઉદઘાટન કરવામાં આવશે.
સાબરમતી રિવરફરન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલ ઉદઘાટન કરાયા પછી એક સપ્તાહ બાદ સાબરમતી રિવર ક્રુઝ/ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ કોમર્શિયલ ધોરણે કાર્યરત થશે. AMCના મહત્વાકાંક્ષી સાબરમતી રિવરફરન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. પ્રોજેક્ટમાં વધુ એક આકર્ષણનો ઉમેરો થયો છે. SRFDL દ્વારા PPP ધોરણે શરૂ થનારા ફ્લોટિંગ રેસ્ટોરાં/રિવર ક્રૂઝમાં આમ, હવે અમદાવાદીઓ હવે વિદેશ કે ગોવાની જેમ પાણીની વચ્ચે શિપમાં બેસી અને જમવાની મજા માણી શકશે. રૂ. 10 કરોડના ખર્ચે આ ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ તૈયાર કરાયું છે. નદીના ઉપયોગ બદલ અક્ષર ટ્રાવેલ્સ દ્વારા વાર્ષિક રૂ. 45 લાખની લાઇસન્સ ફી પેટે સાબરમતી રિવરફરન્ટ તંત્રને ચૂકવશે. ગત ફેબ્રુઆરીમાં વલસાડના ઉમરગામથી આ ક્રૂઝને રિવરફરન્ટ પર લાવવામાં આવી હતી.
ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં ઉપર અને નીચે એમ બે જગ્યાએ લોકો બેસીને ફૂડની મજા માણી શકશે. ક્રૂઝની નીચેનો ભાગ આખો કાચથી કવર કરેલો અને સેન્ટ્રલી છઝ્ર હશે. ક્રૂઝની પાછળના ભાગમાં કિચન બનાવાશે. ક્રુઝમાં TV, પ્રોજેક્ટર, લાઇટિંગ, DJ સાઉન્ડ સિસ્ટમ, લાઈફ્ સેવિંગ સિસ્ટમ, વગેરે સુવિધાઓ હશે. ક્રૂઝમાં બેસી બંને તરફ્ સાબરમતી નદીનો નજારો જોતા ફૂડની મજા માણી શકાય તે રીતે ટેબલ ગોઠવવામાં આવશે. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના એક રાઉન્ડ માટે દોઢ કલાકનો સમય લાગશે. સરદાર બ્રિજ અને અટલ બિજ વચ્ચે જેટી તૈયાર કરવામાં આવશે.