છેલ્લા કેટલાંક દિવસોથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. અજિત પવાર જૂથ સરકારમાં જોડાયા બાદ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આજે, જ્યારે અજીત અને શરદ જૂથે પોતપોતાના જૂથના નેતાઓની બેઠક બોલાવી હતી, ત્યારે સીએમ શિંદેએ પણ સાંજે તેમના ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી હતી. આ દરમિયાન એકનાથ શિંદેએ સ્પષ્ટ કહ્યું કે હું રાજીનામું નથી આપી રહ્યો. મને ખબર છે કે આવા સમાચાર કોણ ફેલાવી રહ્યું છે.
વાસ્તવમાં, અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા બાદ એવી અટકળો સાથે બજાર ગરમ થઈ ગયું હતું કે હવે મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજીનામું આપી શકે છે. સીએમ એકનાથ શિંદેએ પોતાના રાજીનામાંની તમામ અટકળોને રદિયો આપતા જણાવ્યું હતું કે મને ખબર છે મારા રાજીનામાંની ખબરો કોણ ફેલાવી રહ્યું છે. સાથે જ તેમણે આશ્વાસન આપ્યું હતું કે તે તમામ 50 ધારાસભ્યોને નિરાશ નહીં કરે જેમણે સંકટ સમયમાં તેમનું સમર્થન કર્યું હતું.





