UP ATSએ પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર વિશે મોટો ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે સીમા હૈદરે મરિયમ ખાનના નામથી પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું હતું. એટીએસને આ મહત્વની માહિતી મળી છે. સીમાએ યુપી એટીએસને જણાવ્યું કે સચિને પાકિસ્તાન જવા માટે પાસપોર્ટ માટે અરજી કરી હતી, પરંતુ સીમા ઈચ્છતી ન હતી કે સચિન પાકિસ્તાન આવે.
પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરને લઈને UP ATSએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે સચિન એ પહેલો વ્યક્તિ નથી જેને સીમાનો સંપર્ક કર્યો હોય, આ પહેલા પણ સીમાએ ભારતમાં કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો, જેમાંથી મોટા ભાગના દિલ્હી -એનસીઆરના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એટીએસ દ્વારા ગઈકાલની પૂછપરછમાં સીમાએ દરેક સવાલના ખૂબ જ એક સરખા જવાબ આપ્યા હતા.
ATS સૂત્રોના જણાવ્યા અનુસાર સીમા હૈદર ખૂબ જ શાર્પ માઇન્ડની છે. ગઈકાલની પૂછપરછ બાદ એટીએસનું માનવું છે કે સીમા પાસેથી કોઈ પણ ગુપ્ત માહિતી બહાર કાઢવી સરળ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈ કાલે પૂછપરછ દરમિયાન સીમા હૈદરને અંગ્રેજીની કેટલીક લાઈનો વાંચવા માટે કરાવવામાં આવી હતી, જે સીમા હૈદર સારી રીતે વાંચતી હતી એટલું જ નહીં પણ અંગ્રેજીમાં તેનો ઉચ્ચાર પણ સારો હતો.