Saturday, November 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નાના ગુનામાં જેલ સજાની જોગવાઈ નાબૂદ : લોકસભામાં ખરડો પસાર

જનવિશ્વાસ સુધારા બીલમાં 76 કાયદા રદ કરાયા: 9 વર્ષમાં 40000 કાનૂની જોગવાઈઓ હળવી કરાયાનો પિયુષ ગોયલનો દાવો

aaspassdaily by aaspassdaily
2023-07-28 10:23:33
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

‘ઈઝ ઓફ બિઝનેશ’ અંતર્ગત વેપારધંધાને સરળ બનાવવા કેન્દ્ર સરકારે જનવિશ્વાસ વિધેયકને બહાલી આપી હતી જેમાં અંતર્ગત હવે નાના ગુનામાં જેલ સજાની જોગવાઈ નાબૂદ કરવામાં આવી છે. જુદા-જુદા 42 કાયદામાં 183 જોગવાઈઓમાં જેલસજા રદ કરતો આ સુધારા ખરડો પસાર કરવામાં આવ્યો હતો.
લોકસભામાં સરકારે જનવિશ્વાસ વિધેયક રજુ કર્યુ હતું. આ વખતે વિપક્ષી સભ્યો મણીપુર મુદે વિરોધ કરીને નારેબાજી કરી રહ્યા હતા. ધારાસભ્યો વાતાવરણમાં ટુંકી-સંક્ષિપ્ત ચર્ચા વચ્ચે જ આ વિધેયક પસાર કરી દેવાયુ હતું. ધમાલને કારણે ચર્ચા સાંભળવી પણ શકય ન હતી. લોકસભાની કાર્યવાહી થોડી મીનીટો જ ચાલી હતી અને તે દરમ્યાન વિપક્ષી સભ્યો પુર્વોતર રાજયની હિંસા વિશે વડાપ્રધાનના નિવેદનની માંગ સાથે ધાંધલધમાલ સર્જાતા રહ્યા હતા. આ ગાળામાં જ વિધેયક પસાર કરાવી દેવાયુ હતું.
આ વિધેયક રજુ કરતા કેન્દ્રના વ્યાપાર તથા ઉદ્યોગ વિભાગના પ્રધાન પિયુષ ગોયલે કહ્યું કે, સંખ્યાબંધ જોગવાઈઓને અપરાધની શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવી હોવાથી વેપારધંધા સરળ બની શકશે. અનેક જોગવાઈઓમાં માત્ર પેનલ્ટી રાખવામાં આવી છે એટલે અદાલતી પ્રક્રિયા કે સજામાંથી મુક્તિ મળશે. અનેક ગુનામાં જેલ સજાની જોગવાઈ પણ નાબૂદ કરવામાં આવી છે. પોસ્ટ ઓફિસ કાયદા 1898 હેઠળના તમામ ગુના નાબુદ કરાયા છે. તેઓએ કહ્યું કે મોદી સરકારના છેલ્લા 9 વર્ષના કાર્યકાળ દરમિયાન વેપાર-ધંધાર્થી કે સામાન્ય લોકો માટે મુશ્કેલી સર્જી શકે તેવી અંદાજીત 40000 કાયદાકીય જોગવાઈઓ સરળ અથવા રદ કરવામાં આવી છે. જનવિશ્વાસ વિધેયક 2022 ગત 22 ડિસેમ્બર 2022માં લોકસભામાં રજુ થયુ હતું. જે પછી સંયુક્ત સમીતીને મોકલાયુ હતું અને તેના દ્વારા ગત માર્ચમાં લોકસભાને રિપોર્ટ સોંપાયો હતો.
લોકસભામાં પસાર કરાયેલા જનવિશ્વાસ વિધેયકમાં 76 કાયદા હળવા કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં મોદી સરકારે 1486 કાયદા હળવા કે નાબૂદ કર્યા છે. નવા વિધેયકમાં 76 કાયદા રદ કરવાની દરખાસ્ત છે. આ બીલ સંસદમાં પસાર થયા બાદ સંખ્યા 1562 થશે. આ તકે કાયદાપ્રધાન અર્જુનરામ મેઘવાલે એવી ટકોર કરી હતી કે યુપીએ શાસનમાં એકપણ બીનજરૂરી કાયદા રદ થયા નથી.

Previous Post

સુરતના મહુવામાં 11 ઈંચ, નવસારી તાલુકામાં 10.6 ઈંચ વરસાદ

Next Post

અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષોમાં વિવાદ

aaspassdaily

aaspassdaily

Related News

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ
તાજા સમાચાર

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ

October 31, 2025
કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી
તાજા સમાચાર

કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી

October 31, 2025
ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી
તાજા સમાચાર

ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી

October 31, 2025
Next Post
અવિશ્વાસ પ્રસ્તાવ પર  વિપક્ષોમાં વિવાદ

અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષોમાં વિવાદ

સુપર ડાન્સર ચેપ્ટર-3’માં બાળકોને તેમના માતા-પિતાને લઈને અશ્લીલ સવાલો પૂછાયા

સુપર ડાન્સર ચેપ્ટર-3’માં બાળકોને તેમના માતા-પિતાને લઈને અશ્લીલ સવાલો પૂછાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.