કાળઝાળ મોંઘવારીમાંથી સામાન્ય અને ગરીબ પરિવારને રાહત મળે તેવા અહેવાલ સામે આવ્યા છે. ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. રક્ષા બંધન અને સાતમ આઠમના તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલમાં 10 રૂપિયા અને કપાસિયા તેલમાં પાંચ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તહેવારની સિઝન પહેલા ખાદ્યતેલોમાં ઘટાડોએ સારા સંકેત દેખાઈ રહ્યા છે. છેલ્લા ઘણ સમયથી મોંઘવારીમાં સતત વધારો નોંધાતા સામાન્ય અને ગરીબ વર્ગની કમર તૂટી ગઈ હતી, તે વચ્ચે આ રાહતના અહેવાલ આવતા લોકોમાં અનેરી ખુશી પણ જેવા મળી છે.
આ અગાઉ પણ એક વખત સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. અત્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ 2,950થી ત્રણ હજારની વચ્ચે વેચાયો હતો.જ્યારે કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 1,610 થી 1,660માં વેચાયો હતો. હજુ પણ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થવાનો વેપારીઓએ અંદાજ લગાવ્યો છે.