શિખ અલગાવવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હોવાનો દાવો કરનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હિન્દૂ સમાજને નવરાત્રીની શુભકામના પાઠવી છે. ટ્રુડોએ કહ્યું કે તેમની સરકાર ભારત સાથે ગાઢ સંબંધ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
કેનેડાના વડાપ્રધાને એક્સ એકાઉન્ટથી પોસ્ટ કર્યું, “નવરાત્રીની શુભકામનાઓ! હું હિન્દૂ સમાજ અને આ તહેવારને મનાવનારા તમામ લોકોને હાર્દિક શુભકામના પાઠવું છું.” કેનેડાના વડાપ્રધાન તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું, 9 રાત અને 10 દિવસ કેનેડા અને વિશ્વભરમાં હિન્દૂ સમાજના લોકો નવરાત્રી મનાવવા માટે ભેગા થશે. ટ્રુડોએ કહ્યું, નવરાત્રી હિન્દૂ આસ્થામાં સૌથી મહત્ત્વપૂર્ણ અને પવિત્ર તહેવારમાંથી એક છે, જે ભેસના માથા ધરાવતા રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાની જીતનો પ્રતિક છે. અવાર નવાર તેને સ્ત્રી ઉર્જાના ઉત્સવના રૂપમાં જોવામાં આવે છે, આ મિત્ર અને પરિવાર માટે એક સાથે આવવા અને પ્રાર્થનાઓ, હર્ષોલ્લાસપૂર્ણ પ્રદર્શનો, વિશેષ ભોજન અને આતષબાજી સાથે પરંપરાઓનું સમ્માન કરવાનો સમય છે.”
ટ્રુડોએ કહ્યું, “તમામ કેનેડાના લોકો માટે, નવરાત્રી હિન્દૂ સમાજના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે વધુ જાણવા અને કેનેડાના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક ઢાંચામાં તેમના યોગદાનને ઓળખવાની તક પણ આપે છે. આજનો પ્રસંગ અમને યાદ અપાવે છે કે વિવિધતા કેનેડાની સૌથી મોટી શક્તિમાંથી એક છે.” શુભેચ્છા પાઠવતા કહ્યું, “હું આ વર્ષે નવરાત્રી મનાવનારા તમામ લોકોને શુભકામના પાઠવું છું.”




